SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ બળવાખોરેને વશ કર્યા અને તેમાંના કેટલાકને ઠાર કરી શહેરમાં ધાક બેસાડી ત્યારે શાંતિ થઈ. આવો યુગમાં પિટ્ટના મનમાં કેથલિકેનું કલ્યાણ કરવાની ઉંડી ઈચ્છા હોય, તે શી રીતે સફળ થાય ? છતાં તેણે આયર્લેન્ડના કેથલિક માટે પ્રયત્ન કર્યો, પણ તેમાં તે નિષ્ફળ ગયો. દેશજીવનમાં અમાપ અસર કરી જનારાં મહાન કાર્યોનાં સ્વમ સેવવાનો અધિકાર વિરલ મહાપુરુષે - ને હોય છે. તેમના યુગમાં તેઓ ભલે નિષ્ફળ થાય, પણ તેથી તેમની મહત્તાને જરા ઝાંખપ લાગતી નથી. - આવા મહાપુરુષના અદ્દભુત કાર્યની પ્રશંશા બર્ક, ફેંકસ, અને શેરીડન જેવા તેના વિરોધીઓ મુક્તકંઠે કરી ગયા છે. ઈ. સ. ૧૭૮૮માં રાજાને ફરીથી ચિત્તભ્રમ થયો. રાજરક્ષકની નીમણુક કરવાનો અધિકાર પાર્લમેન્ટને ખરો કે નહિ, અને યુવરાજ રાજરક્ષક થાય તે તેના અધિકારની મર્યાદા કેટલી, એ સંબંધી પિટ્ટ અને ફોકસને મતભેદ પડે. આયર્લેન્ડની પાર્લામેન્ટ મત આપ્યો, કે યુવરાજને સર્વ રાજસત્તા સોંપી દેવી જોઈએ, પણ પાર્લમેન્ટનો વિચાર તે યુવરાજને મર્યાદિત અધિકાર આપવાનો હતે. સભાગે આ મતભેદ તીવ્ર થવા પામે તે પહેલાં તો રાજાને આરામ થયો.૧ આ સમયે સમગ્ર યુરેપનાં રાષ્ટ્રની રાજકીય તેમજ સામાજિક પરિસ્થિતિ અને પ્રજાજીવન ઉપર ગંભીર અને દૂરગામી પરિણામો નીપજાવનાર તે યુગને મહાન બનાવ બન્યું, અને તે ફ્રાન્સને રાજ્યવિપ્લવ હતો. : પ્રકરણ પણું કાન્સનો રાજ્યવિપ્લવ કાન્સને રાજ્યવિપ્લવઃ ઈ. સ. ૧૭૮લ્માં રાજાને આરામ થયાને થડે સમય થયે, ત્યાં તે ફ્રાન્સમાં રાજ્યવિપ્લવની ભયંકર વાળા ભભૂકી નીકળી. આ વિપ્લવનાં કારણે રાજકીય, સામાજિક અને બુદ્ધિવિષયક હતાં. ૧. દેશમાંથી અશાંતિનો ભય ટળ્યો, તેથી લોકો ખૂબ ખુશી થયા. લોકોને નિઃસીમ આનંદ જોઈને રાજાએ કહ્યું, કે “લોકોનો આનંદ લેવાની ખાતર માંદા પાડવામાં મઝા છે.” લોકો એવો ઉત્સવ માણે, તે યુવરાજને ગમ્યું નહિ..
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy