SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ખાતર મારી પાછળ ઝંપલાવે. દેશ અને સરદાર પ્રત્યે ફરજ બજાવ, પછી ભલે તેમાં પ્રાણની આહૂતિ આપવી પડે.” સીઝરે બે સવારીઓ કરીઃ તેણે બ્રિટન પાસેથી ખંડણી ભરવાનું, અને ગાલ લેકેને મદદ ન આપવાનું વચન લીધું. પછીનાં સો વર્ષ સુધી કોઈએ બ્રિટનનું નામ લીધું નહિ. બીજી રેમન સવારીએ ઇ. સ. ૪૩માં મન શહેનશાહને બ્રિટનને વશ કરવાની ઈચ્છા થઈ, એટલે ફરીથી રોમન લશ્કર બ્રિટન પર ચઢી આવ્યું. બ્રિટનોએ આ હુમલાથી પિતાનું રક્ષણ કરવાની તનતોડ મહેનત કરી; તેઓ પોતાની સ્વતંત્રતા જાળવવા માથું મૂકીને રેમને જોડે લડ્યા, પણ તાલીમ પામેલી સેના સામે જંગલી બ્રિટનનું કશું વળ્યું નહિ. રેમન રાજ્યના લાભાલાભઃ બ્રિટનમાં લગભગ ૩૫૦ વર્ષ રોમન અમલ રહ્યો. તે દરમિઆન બ્રિટનને રિમન દવજવાહક ઘણા લાભ થયા. શરૂઆતમાં તો સુધરેલા રોમનોએ જંગલ કાપી નાખી સુંદર નગર વસાવ્યાં. તેમણે ભેજવાળી જમીન સૂકવી નાખી એવી ફળદ્રુપ બનાવી, કે રેમન સૈન્યને જોઈતો ઘઉંને જ અહીંથી મળવા લાગ્યો. - રોમનોએ દેશમાં વિદ્યા, કળા, શિલ્પ, હુન્નર, કાયદા અને સુવ્યવસ્થા દાખલ કર્યો. બ્રિટને ઉપર રોમન સંસ્કૃતિ અને વૈભવની છાપ પડી. કાયદાથી દેશમાં શાંતિ સ્થપાઈ, એટલે વિદ્યાકળાની પણ વૃદ્ધિ થઈ. રોમનોએ પત્થરનાં સુંદર મકાન બાંધ્યાં, અને દેશભરમાં મેટા, સળંગ, અને પાકા રસ્તા બનાવ્યા. પરંતુ રોમન અમલથી બ્રિટનને એક મોટો ગેરલાભ પણ થયો. રોમન રાજ્યની શાન્તિ અને શીળી છાયામાં બ્રિટને પરાવલંબી થઈ ગયા, અને શુરાતન ઈ બેઠા. તેમનામાં પિતાનું રક્ષણ કરવાની ઇચ્છા કે શક્તિ રહી નહિ, અને તેમને સ્વાતંત્ર્યપ્રેમ પણ વિસારે પડ્યો. એવામાં મધ્ય અને પૂર્વ યુરોપનાં જંગલી ટોળાં ઈટલીની ફળદ્રુપ ભૂમિ પર તૂટી પડ્યાં, એટલે મને એ બ્રિટનમાંથી પિતાનું લશ્કર પાછું બોલાવી લીધું. (ઈ. સ. ૪૧૦) પરિણામે શુરાતન ગુમાવી બેઠેલા બ્રિટનની બુરી દશા થઈ.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy