SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને રજા આપવામાં આવી. જુના અમલમાં કેદ થએલા ધર્મગુરુઓને મુક્ત કરવામાં આવ્યા, અને તેમને બદલે લેટિમર, રિડલી અને કેન્સર જેવા અડગ સુધારકેને તુરંગમાં પૂરવામાં આવ્યા. ઈ. સ. ૧૫૫૪માં પિપનું ધર્માધિપત્ય સ્વીકારી તેના પ્રતિનિધિ કાર્ડિનલ પિલને ચરણે ઈગ્લેન્ડને ધર્મસમાજ ધરવામાં આવ્યો. પાલમેન્ટના સભ્યો તેને નમ્યા, અને ધર્મધુરંધર પિપની સામા થવાને તેઓએ અક્ષમ્ય અપરાધ કર્યો હતો, તે માટે કાર્ડિનલ પિલે પોપની વતી તેમને ક્ષમા આપી પાપમુક્ત કર્યા. પરંતુ હેનરી અને એડવર્ડના સમયમાં મઠની જે જાગીરો તેમને મળી હતી, તે આપવાની તેમણે સાફ ન પાડી. એ જાગીર આપીને કેન્સરે ઈગ્લેન્ડમાં એવો પક્ષ ઉભો કર્યો, કે જે સ્વાર્થ વિચારીને સુધારા સાથી બની રહે. મેરીનું કાર્ય આટલેથી ન અટકયું. સર્વ સુધારકે દુષ્ટ છે, અને ઈલેન્ડ ના લેકને પાપની ભયંકર ભ્રમણામાંથી બચાવવા એ મારું કામ છે, એમ તે પ્રમાણિકપણે માનતી. સૌએ કેથોલિક થવું જોઈએ એ તેનો મત હતો. તેણે ધીમે ધીમે જુલમ ગુજારવા માંડ્યો. જે લેકે કેથલિક થવાની ના પાડે, તેમને જીવતા બાળી મૂકવામાં આવતા. કહેવાય છે કે ત્રણ વર્ષમાં ત્રણ પ્રોટેસ્ટન્ટને જીવતા બાળી નાખવામાં આવ્યા. પિતાની માતાના છુટાછેડા કરાવનાર, અને સુધારક પંથ ફેલાવવામાં આગેવાનીભર્યો ભાગ લેનાર કેન્સરને જૈમસ કેન્સર એ જીવ શાને છોડે ? આમ કેન્સર, ૧. મતની વાત સાંભળી પહેલાં તો કેન્સરના હાંજા ગગડી ગયા, અને તેણે કેથલિક લોકેના લાભમાં કેટલાક કાગળ પર સહી કરી; પણ પાછળથી તેને એ ખોટું લાગ્યું, એટલે તે પસ્તાયો અને બહાદુરીથી મુઓ. મરતી વખતે તેણે જે હાથે સહી કરી હતી, તે ચિતામાં પહેલો ધરી બળી જતા સુધી તે અડગ ઉભો રહ્યો.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy