SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મરસેટ પછી ડયૂક ઑવ્ નોધંબલેન્ડ નામનો અમીર રાજરક્ષક’ થર્યો. તેણે ૫ સુધારાની નીતિ ચાલુ રાખી. પરંતુ તે પૈસાને લેભી હતી, તેથી ધર્મ સુધારણાને બહાને તેણે કારીગરોનાં મહાજનમંડળોનાં નાણાં પડાવી લીધાં. આ નાણમાંથી તેણે કેટલીક શાળાઓ સ્થાપી, જે “King Edward Grammar Schools” એ નામે ઓળખાવા લાગી. - એડવર્ડના અમલમાં હેનરીએ લૂંટવા માંડેલા મઠમાંથી જે બાકી રહ્યા હતા, તેને બંધ કરી તેનાં નાણાં શાળાઓની સ્થાપનામાં વાપરવામાં આવ્યાં. અને જમીન, જાગીર વગેરે લાગતાવળગતામાં વહેંચી દેવામાં આવ્યાં. આવા સુધારાના કાર્યમાં સ્વાભાવિક રીતે મતભેદ હોય; પણ આવો મતભેદ બતાવનાર ઉપર જુલમ કરવામાં આવતો. કેટલાક ધર્માધ્યક્ષ અને પાદરીઓ સામા થયા, પણ તેમને કેદમાં પૂરવામાં આવ્યા. આ સમયે પ્રોટેસ્ટન્ટ ધર્મસમાજનાં મૂળતત્ત્વોની બેતાલીસ કલમે તૈયાર કરવામાં આવી. આ સુધારાના કામમાં બધી પ્રજા સંમત ન હતી. અનેક વર્ષોથી ચાલતી આવેલી ધાર્મિક માન્યતાઓ અને રૂઢિઓમાં એકદમ ફેરફાર કરવાની ઈચ્છા સામાન્ય માણસોને હોતી નથી. ઉપાસનાવિધિ અને કર્મકાંડમાં રહેલાં આડંબર, ભપકે, અને વૈભવની લેકના મન પર છાપ પડતી હતી. આને બદલે સાદી વિધિ દાખલ થવાથી સર્વ શુષ્ક લાગવા માંડયું. સુધારા દાખલ કરતી વખતે ચલાવેલા જુલમથી પણ લેકે ત્રાસી ગયા. જો કે સુધારામાં શહેરના લેકેને રસ હતો, પણ અજ્ઞાન ગામડીઆઓને તે રસ ન હતો. તેમને તો નવા વિચાર નાસ્તિક લાગ્યા. આથી મેરી ગાદીએ આવી, ત્યારે પ્રજાને ઘણે ભાગ ખુશી થ. - કેથેરાઈનની પુત્રી મેરી ચુસ્ત કેથલિક હતી. ગાદીએ આવતાં તેણે એડવર્ડ દાના અમલમાં થએલા સુધારાના કાયદા, અને હેનરી ૮માએ કરેલા પોપ વિરુદ્ધને કાયદા રદ કરી કેથલિક ધર્મની રાજધર્મ તરીકે સ્થાપના કરી. એથી નવી પ્રાર્થનામાલા રદ કરી જાની ઉપાસનાવિધિ દાખલ કરવામાં આવી, અને લેટિન ભાષામાં પ્રાર્થના થવા લાગી. પાદરીઓએ લગ્ન કરવું એ નિષિદ્ધ ગણવામાં આવ્યું, અને જે પાદરીઓ પરણ્યા હતા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy