SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫ ) હિંદુસ્તાની ભાષા એ હવે રાષ્ટ્ર ભાષા થવા માંડી છે. તેથી સમજી શકે તેમ છે. આ લેખ તા. ૧૪-૪-૪૫ ના વર્ષ જ થયાં છે. આ લેખ દરેક જણ લખેલા છે જેને માત્ર ચાર (૨) આ મંદ્વિરની મુલાકાત લેખકે તા. ૨૧–૧૧–૪૮ એ લીધી હતી. તેની તપાસમાં ઉપરના લેખની સત્યતા જણાઇ હતી. તે વખતે આ ઉપરના લેખની માહીતિ પણ નહોતી. છતાં તપાસતાં લખેલી હકીક્ત તદૃન સત્ય છે. તે ઉપરાંત મંદિરના પ્રવેશદ્વારમાં પેસતાં ડાબી બાજીએ એક આસમાની રંગના પત્થર ઉપર શિલાલેખ છે. તે સંવત ૧૮૧૮ ની સાલના લેખ છે. ને તેમાં સંવત્ ૧૭૧૨ માં સ્વસ્થાન જોધપુરના ભાયાતનું નામ છે. તેમણે Íદ્ધાર કરાવ્યા છે. તેમનાં સગાંનાં અને વારસાનાં નામ છે. આ પ્રમાણે જેમણે જેમણે મંદિરના જીર્ણોદ્ધાર કરાજ્યે છે તેમણે તેમણે થાંભલા ભીંતા કે મહેરાખ ઉપર લેખ કાતરાવ્યા લાગે છે. આ અંદરના થાંભલાના લેખા તા સાધારણ ભણેલાને અણુઉકેલજ છે. સારા ભાષાશાસ્ત્રી અને પુરાતત્વવિદ્ વિદ્વાન એ લેખાની મુલાકાત લેઇ. કંઇ અજવાળું પાડે તે આ કરતાં કંઈક જાણવાનું વધારે મળે. પરંતુ દિરની સ્થાપનાનું વર્ષ તે અનુમાનથી અને સૈકાની ગણત્રીએ ગણાય એવું સમજાય છે. (૩) મંદિરની અંદરની અને બહારની સ્થાપત્યકલાની ઝીણવટ ભરી તપાસ કરી તટસ્થ વૃત્તિથી સાક્ષર શ્રી રમણલાલ સોનીએ સારૂં વર્ણન કર્યું છે. એ સ્થાપત્ય ઉપરથી મંદિરની સ્થાપનાના સમય કઇક શોધી અને અટકળી શકાય તેમ લાગે છે, જે નીચેની હકીકતથી જણાશે. (૪) “મારા ભારત દેશ” નામનું પુસ્તક સસ્તુ સાહિત્ય કાર્યાલય તરફથી સને ૧૯૪પમાં બહાર પડયું છે તે પુસ્તક શ્રી કાન્તીલાલ પરીખે લખ્યું છે, તેમાં ઈલારાનું સૌંદર્ય” વિષેનો લેખ છે. તે ઈલેારાની ગુફામાં સોળમી શુક્ાના ચૈત્યનું જે વર્ણન છે તે વર્ણન આપણા મંદિરની બહારની દિવાલા અને અંદરના ભાગાને મળતું આવે છે. તેના લેખક શ્રી કાન્તીલાલે ગુઢ્ઢાએ વિ. સ. ના છઠ્ઠા સૈકામાં તૈયાર કરેલી માનેલી છે. તે સમયમાં હિંદમાં બ્રાહ્મણુધર્મ, બૌદ્ધધર્મ અને જૈનધર્મ એ ત્રણેની હરિફાઈ બહુ તિવ્ર સ્વરૂપે ચાલતી હતી. એ હરિફાઈથી તે સમયની પ્રજાને એ લાલ થયા કે ભાષા, કળા, હુન્નર, સ્થાપત્ય, સંશાધન, ઇત્યાદિ વિષયામાં પણ હરિફાઈ ચાલતી થઇ હતી. દેશ સ્વતંત્ર હતા. ગુપ્ત વંશનો સુવણૅ યુગ હતા. હર્ષ વર્ધન રાજા અને કાદ ંબરીના કર્તા બાણુવિ પતે અને તેમના દીકરા, જેવા સંસ્કૃત ભાષાના પારંગત વિદ્વાના હતા. તક્ષશિલા, નલન્દન ને કાશી વિદ્યાપીઠ જેવી મહા પાઠશાળાએ સૈકાંઓથી ચાલતી હતી. અને તેના કુશળ કુલપતિએ (આચાર્યાં) વિદ્વાન અને પ્રભાવશાળી બ્રાહ્મણા હતા. વળી
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy