SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાસ્તિકાયની વિચારણા આપણને સર્વ જીવો સાથે એક તાંતણે બાંધે છે. આપણે બીજાથી આપણી જાતને જુદી માનીએ છીએ, જુદો ચોકો જમાવવા માંગીએ છીએ, અલગ અસ્તિત્વ ઊભું કરવા માંગીએ છીએ, પણ આ જ આપણી મોટી ભૂલ છે. આ જ મોહ છે. અહીં કોણ જુદું છે ? આપણે બધા એક ડાળના પંખી છીએ. એક જ સૂરજના કિરણ અને એક જ ફૂલની પાંખડી છીએ. એક જ હાંડલાના ચોખા છીએ. બીજાને છોડીને કેવળ આપણું ભલું કરી ન જ શકીએ. ભગવાન ભગવાન શી રીતે બન્યા ? સર્વ જીવોમાં સ્વનું દર્શન કરવાથી જ ભગવાન ભગવાન બન્યા છે. આ સંદર્ભમાં “સબૂનોમાવિમMમાવ' વિશેષણ કેટલું ચોટદાર છે ? ભગવાને સર્વ જીવોમાં આત્મભાવ સ્થાપિત કર્યો છે. ભગવાન ભલેને સાત રાજલોક દૂર હોય, પણ ભક્તને મન તો ભગવાન અહીં જ છે. કારણકે દૂર રહેલા ભગવાનને ખેંચી આપનાર ભક્તિ તેની પાસે છે. પતંગ ભલે આકાશમાં હોય, પણ દોરી પાસે હોય તો પતંગ ક્યાં જવાનો? ભગવાન ભલે દૂર હોય, પણ ભક્તિ પાસે હોય તો ભગવાન ક્યાં જવાના ? હૃદયને સદા પૂછતા રહો : ભક્તિની દોરી પાસે છે ને? ભક્તિની દોરી ગઈ તો ભગવાન ગયા. ભગવાન ગયા એટલે તરત જ મોહ ચડી બેસવાનો. મોહ, ભગવાન જાય એની વાટ જ જોઈ રહ્યો છે. ગુફામાંથી સિંહ જતો રહે પછી વાઘ, વરૂને આવતાં વાર કેટલી ? હૃદયમાંથી ભગવાન જતાં પાપ આવતાં વાર કેટલી ? કાઉસ્સગ આપણને ફળ આપે, પણ એ પૂર્વે આટલી શરત છે : તમારા શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા આ પાંચેય ગુણો વધતા હોવા જોઈએ. આ “અરિહંત ચેઈઆણં' સૂત્રથી ચૈત્યવંદન કરનારો વંદનાની ભૂમિકા તૈયાર કરે છે અને ચોક્કસ (નિવૃતિમતિ ૩૩૨ * * * * * * * * * * * * * ?
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy