SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનને ઓળખનારી આંખ પાસે નહિ હોય તો કશું વળવાનું નથી. માટે જ વીરવિજયજી કહે છે : યોગાવંચક પ્રાણીઆ, ફળ લેતાં રીઝે; પુષ્કરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે. ભગવાનની દેશના સાંભળતાં યોગાવંચક આત્માને જ આનંદ આવે. ભવાભિનંદી તો મગશેલીઓ પત્થર છે. પુષ્કરાવર્ત જેવી દેશના પણ તેને ભીંજવી ન શકે ! બહુમાન વિના તમે ભગવાનની પણ દેશના સાંભળો તો પણ વ્યર્થ છે. જે કૃતિનું પણ તમારે રહસ્ય સમજવું હોય તો તેના કર્તા પ્રત્યે બહુમાન હોવું જ જોઈએ. પૂ. દેવચન્દ્રજી વગેરે પર બહુમાન ન હોય તો તેમની કૃતિઓનું હાર્દ નહિ જ સમજાય. ગુણ-બહુમાન મુક્તિનું દ્વાર છે. ગુણાનુરાગ કુલકમાં ત્યાં સુધી લખ્યું છે : ગુણ-બહુમાનીને તીર્થંકર સુધીની પદવીઓ પણ દુર્લભ નથી. અહંકાર દૂર થયા વિના ગુણાનુરાગ પ્રગટતો નથી. ભગવાનની સૌથી મોટી કૃપા આપણા અહંકારને દૂર કરે, એ છે. ઈન્દ્રભૂતિનો અહંકાર હટ્યો પછી જ તેઓ ભગવાનની ભગવત્તા જોઈ શક્યા. અહંકાર હટ્યા પછી જ ધર્મ-શ્રવણની યોગ્યતા પ્રગટે છે. અહંકારનું આવરણ જેમ જેમ દૂર થતું જાય તેમ તેમ તમને સામી વ્યક્તિના ગુણો દેખાતા જાય. જેમ જેમ ગુણો દેખાય તેમ તેમ તેના પ્રત્યે બહુમાન પ્રગટતું જાય, તે તે ગુણો તમારી અંદર પ્રગટતા જાય. દોષ તરત જ આવી જાય છે, ગુણો જલ્દી આવતા નથી, એનું એક જ કારણ છે : હૃદયમાં દોષો તરફ પક્ષપાત છે, બહુમાન છે, ગુણો ત૨ફ નથી. વ્યાકરણ, કાવ્ય, કોશ વગેરે શા માટે ભણવાના છે? વ્યાકરણ વ્યાકરણ માટે નથી ભણવાનું, કાવ્ય કાવ્ય માટે નથી ભણવાનું, પણ આગમમાં પ્રવેશ કરવા માટે આ બધું * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૧૬ ***
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy