SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જો તમે પરમ-પદ ઈચ્છો છો કે જગતમાં કીર્તિ ઈચ્છો છો તો તમે જિનવચનમાં આદર કરો. જિન-વચન આગળ કરો છો ત્યારે ભગવાનને આગળ કરો છો. ભગવાનને આગળ કર્યા એટલે બધે જ સફળતા જ સફળતા ! જિન-વચન ગુરુને આધીન છે. ગુરુ વિનયને આધીન છે. નમો અરિહંતાણમાં પ્રથમ નમો વિનયનો સૂચક છે. તથાભવ્યતાનો પરિપાક કરવામાટે બીજા ૪ કારણો નહિ, પણ આપણો ભગવાનને પામવાનો પુરુષાર્થ જ મુખ્ય છે. ભગવાન જ બધું છે. કાળ વગેરે બધા ભગવાનના જ દાસ છે, એમ માનીને પુરુષાર્થ કરવાનો છે. વેપારીઓને ત્યાં બે વિભાગ હોય છે : ખાતું અને રોકડ. ખાતું નવકાર છે. રોકડ બાકીની દ્વાદશાંગી. ખાતામાં માત્ર ટાંચણ જ હોય. હવે હું પૂછું છું : રોકડ ખોવાઈ જાય તો નુકશાન કે ખાતું ખોવાઈ જાય તો વધુ નુકશાન ? એ જ રીતે નવકાર ખોવાઈ જાય તો બધું ખોવાઈ જાય. એક નવકારના આધારે પૂ.પં. ભદ્રંકરવિજયજી મહારાજે અનેક અગમ્ય પદાર્થો શોધી કાઢ્યા અને કહ્યું : નવકારથી નિર્મળ બનેલી પ્રજ્ઞા તમને બધું જ શોધી આપશે. ગણધરોને તો માત્ર ત્રણ જ પદો ભગવાને આપેલા. એ માતૃકા છે. એ ખાતું છે. તેના પરથી બનાવેલી દ્વાદશાંગી તે રોકડ છે. * ચાર માતા : (૧) વર્ણમાતા : જ્ઞાનમાતા : અ થી સુધીના અક્ષરો. - જુના જમાનામાં માતાની જેમ અક્ષરોને પૂજતા. ગણધરોએ સ્વયં તેને નમન કર્યું છે : “નમો નંબઇ ત્રિવિણ ' અક્ષર દ્રવ્યશ્રુત હોવા છતાં ભાવશ્રુતનું કારણ છે. કહે, - - - * * * * * * * * * * ૦૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy