SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) નમસ્કૃતિ માતા (નવકાર) : પુણ્યની માતા. વિશિષ્ટ પુણ્ય પેદા કરવાથી જીવનો વિકાસ થતો જ રહે. (૩) પ્રવચન માતા : ધર્મમાતા. પુણ્ય પછી ધર્મનું સર્જન થવું જોઈએ. આ બધી ધાવમાતાઓ છે. એ પોતાનું કાર્ય કરીને આગળની માતાના ખોળામાં આપણને મોકલી દે. પહેલા વર્ણમાતા આવે. વર્ણમાતા તમને નવકાર માતાના ખોળામાં, નવકાર માતા તમને પ્રવચન માતાના ખોળામાં મૂકે. આજે તો આશ્ચર્ય થાય છે ! તમારા બાળકો વર્ણમાતાથી જ વંચિત રહી જાય છે. એને A. B. C. D. આવડે છે, પણ અ થી ૭ સુધીના અક્ષરો જ ન આવડે. અમારી પાસે આવા કેટલાક બાળકો આવે છે. એ જોઈને આશ્ચર્ય થાય : આપણા જ દેશનો બાળક આપણી જ ભાષા ન જાણે ! બાળપણથી જ તમે માતૃભાષાથી અલગ થઈ જાવ તો તમારામાં આર્ય-સંસ્કૃતિની ધારા શી રીતે ઊતરે ? જે ભાષા બાળપણથી શીખો એ જ ભાષાની સંસ્કૃતિ ઊતરશે. બાળકો તો ઠીક, આજે તો સાધુ-સાધ્વીજીઓ પણ સંસ્કૃતથી દૂર થઈ ગયા છે. વ્યાખ્યાન સારા આપી દીધા ! લોકોને પ્રભાવિત કરી દીધા, એટલે કામ પતી ગયું ! લોકરંજનમાં પડી જઈશું તો આગમોને ભણશે કોણ ? જૈન સાધુને તો એટલી સામગ્રી મળી છે કે બીજે કશે જવાની જરૂર જ ન પડે. (૪) ધ્યાનમાતા : ત્રિપદી. ત્રણેય માતાઓ આપણને છેલ્લે ધ્યાનમાતાના ખોળે મૂકી દે. પણ પ્રારંભ ક્રમશઃ જ થશે. સીધું ધ્યાન નહિ આવે. છે ભગવાન બધાનું હિત કરે, પણ બધાના નાથ કેમ ન બને ? ભગવાન તો નાથ બનવા તૈયાર છે, પણ આપણે એમને નાથ તરીકે સ્વીકારવા તૈયાર નથી. બીજાધાનયુક્ત જીવ જ નાથ તરીકે સ્વીકારવા તૈયાર થાય છે. ભારત સરકાર લડાઈ મેદાને ઊતરેલા વફાદાર સૈનિકોને ૦૨ * * * * * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy