SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય કેંઘા હોય.... ? A વ્યવહાર માર્ગ-ઉપદેશક. B ઋતરત્નના મહાન સાર્થવાહ [મોટા વેપારી] C પૃથ્વી જેવા સહનશીલ. ગમે તેટલું ખોદો પણ પૃથ્વી કદી ચૂં કરે છે ? ગમે તેટલો ભાર નાખો, પણ કદી ઊંહકારો કરે છે ? તેથી જ તેનું નામ સર્વસહા” છે. આચાર્ય પણ આવા જ સહિષ્ણુ હોય. D ચન્દ્ર જેવા સૌમ્ય. E સાગર જેવા ગંભીર. આથી જ તેઓ આલોચના આપી શકે. ૧૨ વર્ષ સુધી રાહ જોવાનું કહ્યું છે, પણ અગીતાર્થ પાસે આલોચના લેવાની શાસ્ત્ર ના પાડી છે. - દુધર્ષ : વાદી આદિથી અપરાજેય. G કાલજ્ઞઃ કયા સમયે શું કરવું તે જાણે. દેશ, જીવોના ભાવ, દ્રવ્ય વગેરે જાણનારા. કયો માણસ કયા ભાવથી બોલે છે ? તે આચાર્ય જાણે. એના શબ્દોથી એની ભૂમિકાને ઓળખી લે. ઉતાવળીયા ન હોય : આપણે બધા ઊતાવળા છીએ, પણ આચાર્ય ધીરા હોય. આંબો પણ ફળ માટે ટાઈમની અપેક્ષા રાખે તો બીજા કાર્ય એમને એમ કેમ ફળે ? 4 અનુવર્તક : કયા શિષ્યને કઈ રીતે આગળ વધારવો તે જાણનારા હોય. અમને આવા અનુવર્તક ગુણથી યુક્ત પૂ. કનકસૂરિજી, પૂ. પ્રેમસૂરિજી, પૂ. પં. ભદ્રંકરવિજયજી [ભલે આચાર્ય પદ ન સ્વીકાર્યું, પણ ગુણો હતા.] જેવા મહાપુરુષોના સાન્નિધ્યમાં રહેવાનું મળ્યું છે, તે અમારો પુણ્યોદય. • K અમાયી : જરાય માયા ન હોય. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy