SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શંખેશ્વર ફા.સુદ-૧૦ ૧૫-૩-૨000, બુધવાર. * શાસ્ત્રોમાં વિનય ક્યાં છે? એમ નહિ, વિનય ક્યાં નથી ? એમ પૂછો. દરેક કાર્ય નવકારપૂર્વક શરૂ કરવાનું હોય છે. નવકાર પરમ વિનયરૂપ છે. | નવકારમાં પ્રથમ પદ “નમો’ વિનયને જ કહે છે. “અરિહંતાણં' થી પણ તેનું સ્થાન પ્રથમ છે. ગુણોને તમે આમંત્રણ – પત્રિકા ભલે ગમે તેટલી લખો, પણ તેઓએ મીટિંગમાં નક્કી કર્યું છે કે વિનય હોય તો જ જવું. વિનય નહિ હોય તો એકેય ગુણ નહિ આવે. વિનય વગરના ગુણો ગુણાભાસ કહેવાશે. પોતાની પાસે નહિ હોવા છતાં પોતાના દરેક [૫૦ હજાર] શિષ્યોને કેવળજ્ઞાન આપવાની શક્તિ, ગૌતમ સ્વામીમાં વિનયથી આવી છે. ભગવાનના ૭૦૦ જ સાધુઓને કૈવલ્ય મળ્યું છે, જયારે ગૌતમસ્વામીના બધા ય શિષ્યોને મળ્યું છે. * આપણા સુધી શ્રુતજ્ઞાન પહોંચ્યું તેમાં આપણા તમામ પૂર્વજ મહાત્માઓનો ફાળો છે, હવે આપણા પર મોટી જવાબદારી છે : આપણા અનુગામીઓને આ વારસો પહોચાડવાની. * ૩૬ ૪ ૩૬ = ૧૨૯૬ જ ગુણો આચાર્યમાં છે એવું નહિ માનતા. અહીં કહે છે કે લાખો ગુણો આચાર્યમાં હોય. ૪૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy