SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વારાહી ફા.સુદ-૬ ૧૧-૩-૨૦૦૦, શનિવાર * ભગવાન યોગ-ક્ષેમકર નાથ છે. જગતના જ નહિ, આપણા પણ નાથ છે. કારણ કે આપણે જગતથી બહાર નથી. ગુણોની જરૂર હોય, આવેલા ગુણોના રક્ષણની ચિંતા હોય તો ભગવાનને પકડી લો. કારણ કે અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણોની સુરક્ષા જગન્નાથ ભગવાન જ કરી આપે છે. મોક્ષમાં ગયેલા ભગવાન આપણા વૉચમેન શી રીતે બને ? ભગવાનની અનુપસ્થિતિમાં પણ એમનું વૉચમેન તરીકેનું કાર્ય ચાલુ રહે છે; નામ-સ્થાપનાદિ દ્વારા, ધર્મ દ્વારા, ગુરુ દ્વારા. આ બધા જ ભગવાનના જ સ્વરૂપો છે. ભગવાન વિનયની મહત્તા એટલે જ સમજાવે છે. વિનયથી જ અપ્રાપ્ત ગુણો આવે છે, આવેલા હોય તો ટકે છે. વિનયની વૃદ્ધિ માટે જ સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે. ડગલે ને પગલે આ સંયમ જીવનમાં વિનય વણાયેલો છે. “કોઇપણ કામ ગુરુને પૂછીને જ કરો.” – એમ શાસ્ત્રકારો કહે છે. હુકમ ન માને તેવા સૈનિકને સેનાપતિ રાખે ? હુકમ ન માને તો સૈનિકને સેનાપતિ ગોળીએ ઊડાવી દે. અહીં કોઈ ગોળીએ નથી કહ્યું કલાપૂર્ણસૂરિએ ૩૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy