SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધથી હિંસા માનથી જૂઠ માયાથી ચોરી લોભથી અબ્રહ્મ અને પરિગ્રહના પાપો ફૂલે-ફળે છે. ભગવાન કહે છે : મેં આ ધર્મનું વિધિપૂર્વક પાલન કર્યું છે ને હું આ સ્થિતિ પર આવ્યો છું. તમે પણ એનું પાલન કરી જુઓ. ધર્મ દુર્ગતિથી બચાવે. ધર્મ સદ્ગતિમાં સ્થાપિત કરે. અંતે સ્વભાવમાં સ્થિર કરે. આત્માને હવે કહી દો : હવે હું ધર્મનું એવું પાલન કરીશ કે હે આત્મન્ ! તને કદી દુર્ગતિમાં નહિ મોકલું, સદ્ગતિ અને સિદ્ધિગતિમાં તને મોકલીને જ જંપીશ. હાથમાં આવેલો આ ધર્મ ખોવાઈ ન જાય તે માટે સાવધ રહેજો. હાથમાં આવેલું ચિંતામણિ રત્ન ખોવાઈ જાય તો ? કોઈ મૂર્ખતાથી દરિયામાં નાખી દે કે કાગડા ઉડાડવા ફેંકી દે તો ? ચિંતામણિ રત્ન બીજી વાર મળે ? ચિંતામણિ રત્ન કદાચ બીજીવાર મળી જાય, પણ ખોવાયેલો ધર્મ બીજીવાર મળે તેનો કોઈ ભરોસો નથી. * તમે જે ધર્મમાં છો, ત્યાંથી હજુ વધુ ને વધુ આગળ વધવાની ભાવના તમારા હૃદયમાં હોવી જ જોઈએ. તો જ તમે જ્યાં છો ત્યાં પણ ટકી શકો. સમ્યક્ત્વી હો તો દેશિવરતિ ઝંખો. દેશવિરત હો તો સર્વવિરતિ ઝંખો. સર્વવિરત હો તો સિદ્ધિગતિ ઝંખો. ગિરિરાજની યાત્રાએ જતાં તમે ક્યાં સુધી ચાલો ? રસ્તામાં ઘણુંય આવે, પણ જ્યાં સુધી દાદાનો દરબાર ન આવે ત્યાં સુધી કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૦૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy