SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ * મુનિ ઘેર વહોરવા ગયા ત્યારે પાંજરાના પોપટે પૂછ્યું : હું આ બંધનમાંથી શી રીતે છૂટું ? ગુરુને પૂછતાં તેઓ મૂચ્છિત બની ગયા. પોપટને આ કહેતાં તે સમજી ગયો. [મુનિ કાંઇ સમજયા ન્હોતા, છતાં પોપટ સમજી ગયો.] મૂચ્છિત [મૃતપ્રાય] બનીને તેને મરેલો સમજી પાંજરું ખોલવામાં આવ્યું ને પોપટ ઉડી ગયો. પોપટને ઇચ્છા જાગી, આપણને આ શરીરના પાંજરામાંથી છુટવાની ઇચ્છા જાગી ? પોપટ સમજી ગયો, આપણે સમજ્યા ? ભગવાનની મૂર્તિ પરથી આપણે આવું કાંઈ સમજી શકીશું ? વચનથી ભગવાન ભલે નથી બોલતા, પણ મુદ્રાથી તો બોલે જ છે. કેટલાક જવાબ મૌનથી જ અપાતા હોય છે. દરેક સ્થળે શબ્દો ઉપયોગી નથી હોતા. અક્ષરથી જ્ઞાન થાય તેમ અનક્ષર [ઇશારા આદિ]થી પણ જ્ઞાન થાય. ધ્યાન વિચારમાં અનેક્ષર જ્ઞાનનું પણ એક વલય છે. ભગવાનની મુદ્રા બોધ આપે છે : તમે મારી પાસે આનંદ માંગો છો, પણ મને આ આનંદ સાધનાથી મળ્યો. તમે પણ સાધના કરી આનંદ મેળવી શકો. * વ્યક્તિગત રાગ કહેવાય. રાગ દોષ છે. સમષ્ટિગત પ્રેમ કહેવાય. પ્રેમ ગુણ છે. ખાબોચીયાનું પાણી ગંદું હોય. વ્યક્તિગત રાગ મલિન હોય. વિશાળ સમુદ્ર નિર્મળ હોય. પ્રેમ નિર્મળ હોય. * હમણાં હું મુંબઇ-દહીંસર ગયેલો ત્યારે અપાર માનવમહેરામણ ઉમટેલું. તે વખતે મેં એટલું જ કહેલું : તમે મારા દર્શનાર્થે નથી આવ્યા, પણ મને દર્શન આપવા આવ્યા છો. એમના હૃદયમાં ગુરૂ પ્રત્યેનું બહુમાન છે. તેને નમવાનું છે. * એક પણ માણસ મા વગર, માના પ્રેમ વગર મોટો નહિ થયો હોય. ભગવાન પણ જગદંબા છે. ભગવાનમાં પરમ પ્રેમરૂપ કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy