SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા વૈશાખ સુદ-૩ દ-૫-૨૦૦૦, શનિવાર * ચંદાવિઝયમાં સાધુ-જીવનની કળા બતાવેલી છે. ચારિત્રની પૂર્ણ વિશુદ્ધિ હોય તો આ જ જન્મમાં મોક્ષ મળે. ચારિત્રની વિશુદ્ધિ જેટલી દૂર તેટલો મોક્ષ પણ દૂર ! જ્ઞાન-દર્શનથી યુક્ત ચારિત્ર જ સાચું ચારિત્ર કહેવાય, એ વાત અનેકવાર સમજાવી ચૂક્યો છું. જ્યારે જ્યારે “ચારિત્ર' શબ્દનો પ્રયોગ આવે ત્યારે આવો અર્થ સમજવો. શિરાના દરેક અંશમાં સાકર, ઘી અને લોટ વ્યાપ્ત છે. ત્રણેય એક થઈ જાય ત્યારે જ શિરો બને તેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેય એકરૂપ બને ત્યારે જ મોક્ષમાર્ગ બને. દર્શન-જ્ઞાન રહિત ચારિત્ર આપણે ઘણીવાર પાળ્યું.આ ભવમાં પણ એવું ચારિત્ર નથી ને ? એવી શંકા પણ આપણે રાખીએ તો આત્મ-નિરીક્ષણ કરવાનું મન થાય. આત્મ-નિરીક્ષણ વધે તો સાચા ગુણો ક્યારેક આવી શકે. ખામી જ ન સમજાય તો તે દૂર કરવાનું મન ક્યાંથી થાય ? ચારિત્રને પુષ્ટ બનાવનાર દર્શન-જ્ઞાન છે, એમ લાગ્યા કરે તો કોઈ વિહિત અનુષ્ઠાનમાં આપણે પ્રમાદ ન કરી શકીએ. બીજાના ગુણોની પ્રશંસા કરવી, પ્રભુભક્તિ કરવી વગેરે ૨૪૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy