SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ માનશો તો ભક્ત કદી નહિ બની શકો. ૧૧ ગણધરોની તૈયારી ન હતી પણ સમવસરણમાં ગયા ને કામ થઈ ગયું. હવે કહેશો ને કે ગણધરપદનું દાન ભગવાને કર્યું. આપણા જેવા રખડતા રહ્યા. | * ભગવાનના સાધુ કરતા સાધ્વીજીઓની સંખ્યા વધારે. ૩૬000. તેનું શું કારણ ? જાણો છો ? બહેનોમાં કોમળતા વધારે હોય છે. કોમળ હૃદય સમર્પિત બની શકે છે. સમર્પણ જ સ્ત્રીઓને મુક્તિ સુધી પહોંચાડે છે. ભગવાન મહાવીરના સાધુઓ તો ૭૦૦ જ મોક્ષે ગયા, પણ સાધ્વીજીઓ ૧૪૦૦ મોક્ષમાં ગઈ, એનું કારણ કદાચ આ જ હશે. સહનશક્તિનું રહસ્ય... તમારામાં આટલી બધી સહનશક્તિ ક્યાંથી આવી? ઉપર, નીચે અને વચ્ચે જોવાથી.” “એટલે ?' “ઉપર જોઉં છું ત્યારે મોક્ષ યાદ આવે છે. નીચે જોઉં છું ત્યારે ધરતી દેખાય છે ને હું વિચારું છું. મારે કેટલા ફૂટ જમીન જોઈએ ? નાહક ઝગડા શાના ? અને આસપાસ જોઉં છું તો તે લોકો દેખાય છે, જેઓ મારાથી પણ વધુ દુઃખો સહન કરી રહ્યા છે. આ છે મારી સહન શક્તિનું રહસ્ય !' કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૨૪૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy