SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ એક થોય, સ્તવન કે સક્ઝાય સારી બોલીએ તો પણ આપણે ફૂલાઈ જઈએ, એટલા આપણે તુચ્છ છીએ. પર-અપકર્ષથી નિંદાનો જન્મ થાય છે. સ્વ-ઉત્કર્ષથી ડંફાસનો જન્મ થાય છે. કોનાથી આપણે ઊંચા છીએ ? કોણ આપણાથી નીચું છે ? બધા જ જીવો સરખા છે, સિદ્ધોના સાધર્મિકો છે. - જ્ઞાનસારનો પહેલો શ્લોક કંઠસ્થ છે ને ? “જેન્દ્ર શ્રી તુવન્નેન.” પૂર્ણ આત્માઓ પણ જો સૌને પૂર્ણરૂપે જોઈ રહ્યા હોય તો કોઈને અપૂર્ણ જોવાનો આપણને શો અધિકાર ? એક જ મુદ્દાને આગળ ધરીને જે જીવની તમે નિંદા કરો છો, તેનાથી સૌથી મોટું નુકશાન કયું? એના બીજા બધા ગુણોને તમે ઢાંકી દો છો. ફલતઃ એ ગુણો તમારામાં આવી શકતા નથી. | માટે જ જ્ઞાનીઓ કહે છે : બીજાના ગુણો જોઈ રાજી થાવ. પોતાનો થોડો પણ દોષ જોઈ જાતને હીન માનો. ગુણવાન આત્માઓનો અનાદર કરવાથી જ આપણે ભૂતકાળમાં બોધિ-દુર્લભ બન્યા છીએ. હજુ ક્યાં સુધી બોધિદુર્લભ બનવું છે ? દેવોનો પણ અનાદર કરવાનો નથી. કોઈપણ જીવનો અનાદર કરવાનો નથી. પગામ સાયમાં શું બોલો છો ? હેવા માસાયUIT - તેવી માસાયTIS...” આગળ વધીને “વ્યTITમૂસળીવ સત્તા માસીયUTIU ” બધા જ જીવોનો અનાદર ટાળવાનો છે. પ્રશ્ન : વિરાધના - આશાતનામાં શો ફરક ? ઉત્તર : વિરાધના ટાળી શકાય. આશાતના તો તમને ચારે બાજુથી તોડી નાખે. વિરાધના જીવોની થાય. આશાતના વડીલોની, ગુણીયલની થાય. ગુણીયલની આશાતના ખૂબ જ ભયંકર છે. ગુણીયલની આશાતના થવાથી આપણે બોધિદુર્લભ બનીએ છીએ. કૂલવાલક મુનિ આશાતનાથી જ સંસારમાં ડૂબી ગયો. વિરાધનાથી તો હજુ છૂટી શકાય, આશાતનાથી છૂટવું મુશ્કેલ છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૦૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy