SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મળવું કેટલું દુર્લભ છે ? એ નિરંતર વિચારો. માનવ-જીવન મળ્યા પછી બોધિ મળવી કાંઇ સહેલી નથી. એ માટે ગણધરોને પણ ભગવાન પાસે માંગણી કરવી પડે છે : 'आरूग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दिंतु ।' પ્રશ્ન ઃ ગણધરો તો સમ્યગ્દષ્ટ જ હોય પછી બોધિમાટે પ્રાર્થના શા માટે ? ઉત્તર ઃ મળેલી બોધિ વધુ નિર્મળ બને માટે. મળેલી બોધિને ખોઇને નિગોદમાં પહોંચનારા પણ અનંતા જીવો છે. આવેલી બોધિ, સમ્યક્ત્વ જઇ પણ શકે. ક્ષાયિકભાવ ન આવે ત્યાં સુધી ભરોસો ન રાખી શકાય. આપણા અત્યારના ગુણો ક્ષાયોપશમિક ભાવના છે. કાચના વાસણની જેમ એમને સંભાળવા જરૂરી છે. * દૂર રહેલા દશ્યોને T.V. દ્વારા તમે અહીં જોઇ શકો છો, તેમ દૂર રહેલા ભગવાનને નામ-મૂર્તિ આદિ દ્વારા તમે અહીં જોઈ શકો. માત્ર તમારી પાસે શ્રદ્ધાની આંખ જોઇએ. ‘વિનય ન છોડવો. ગુરુને ઓળવવા નહિ. કૃતઘ્ન બનવું નહિ.'' આટલું અવશ્ય ધ્યાનમાં રાખજો. જે ગુરુએ આ રજોહરણ આપ્યું એ ગુરુના અનંત ઉપકાર સદા નજર સમક્ષ રાખજો. * પુણ્યના માલિક ભગવાન છે, આપણે નહિ. જ્યારે પણ આપણે પુણ્ય બાંધ્યું હશે ત્યારે કેવી રીતે બાંધ્યું હશે ? અરિહંતોએ કહેલા કોઇક સુકૃતનું જાણ્યે-અજાણ્યે આચરણ કરતાં જ પુણ્ય બાંધ્યું હશે ને ? એ પુણ્ય પર આપણી માલિકી ન કરાય. પુણ્ય ભગવાનનું છે તો તેના દ્વારા મળેલું ભગવાનને સમર્પિત કરો. આ કૃતજ્ઞતા છે. * ખૂબ આળસ, ખૂબ ભૂખ, ખૂબ જ ખાવાની ઇચ્છા, ખૂબ જ પીવાની ઈચ્છા થતી હોય તો સમજવું : મારો આત્મા તિર્યંચ ગતિમાંથી આવ્યો છે. ખૂબ જ આવેશ, લડાઇ-ઝગડો કરતાં વિલંબ નહિ, ગાળો બોલતાં વિચાર નહિ, કોઇ અપકૃત્યની શરમ નહિ, વાતે વાતે વાંકું ૧૯૪ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy