SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર વદ-૭ ૨-૪-૨૦૦૦, બુધવાર * આપણા માટે નહિ, જગતના સર્વ જીવો માટે માનવ-ભવ દુર્લભ છે. આ માનવ-જીવન બધાને જોઈએ છે. બધા એને ઝંખે છે. સીટ થોડી છે. મેમ્બર ઘણા છે. તેઉવા સિવાય] બધાય દંડકોમાંથી જીવ મનુષ્ય થઈ શકે. અને મનુષ્ય બધા જ દંડકોમાં જઈ શકે. દુનિયાના કિંમતી પદાર્થો કામકુંભ, ચિંતામણિ આદિ એક તરફ મૂકો ને એક તરફ માનવભવ મૂકો. માનવ-ભવ ચડી જશે. અસંખ્યાત દેવો તલસી રહ્યા છે કે અમને ક્યારે માનવ-ભવ મળે ? ક્યારે અમે સાધુ બનીએ ? સાધુઓને તેઓ રોજ વંદે છે, સ્મરે છે. આપણને આવા સાધુપણાની કિંમત ખરી ? * અરિહંતોને વંદન કરવાથી પાપ કપાય તેમ સાધુને વંદન કરવાથી પણ પાપ કપાય. અરિહંત, સિદ્ધ, આચાર્ય કે ઉપાધ્યાય, સાધુ બન્યા વિના બની શકાતું નથી. દીક્ષિત તીર્થંકર સાધુ જ કહેવાય. અરિહંત પણ પહેલા સાધુ બને છે, પછી જ તીર્થંકર બની શકે છે. આવું સાધુપણું મેળવીને આપણે પ્રમાદમાં પડ્યા રહીશું ? મનુષ્યપણું મળવું, એમાં પણ બોધિ મળવી, એમાં પણ સાધુપણું કહ્યું, કલાપૂર્ણ રિએ જ ૧૯૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy