SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ મન-વચન-કાયાના યોગો ભગવાનને આધીન રાખીએ છીએ કે મોહને આધીન રાખીએ છીએ ? આ વેષ લીધો છે તે મોહની ચુંગાલમાંથી છૂટવા ને પ્રભુમય બનવા લીધો છે, તે તો ખ્યાલ છે ને ? * બુદ્ધિના બળે સંસારી માણસો લાખો રૂપીયા કમાઈ શકે છે. બુદ્ધિ વગરના મજૂરો તનતોડ મહેનત કરવા છતાં કમાઈ શકતો નથી. બુદ્ધિનો ફરક છે ને ? અહીં પણ જ્ઞાન વધુ તેમ કર્મની નિર્જરા રૂપ કમાણી વધુ. જ્ઞાન ઓછું તો નિર્જરા પણ ઓછી ! * બીજબુદ્ધિના નિધાન, ત્રિપદી માત્રથી દ્વાદશાંગી બનાવનાર ગણધરોને દરરોજ સ્વાધ્યાય, પુનરાવર્તન ઈત્યાદિ કરવાની જરૂર શી ? એમને પણ પુનરાવર્તન જરૂર હોય તો આપણને નહીં ? પુનરાવર્તનથી અનુપ્રેક્ષા માટેની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. અનુપ્રેક્ષાથી અખૂટ આગમના અર્થો ફુરે છે. અધ્યયનના પર્યાયવાચી શબ્દોમાં એક અદ્ભુત શબ્દ છે : કવી. ખૂટે નહિ તે અખીણ, અક્ષણ. અનુપ્રેક્ષાથી એટલા અર્થો સ્લરે કે કદી ખૂટે નહિ, ક્યાંય સમાય નહિ. આવી અનુપ્રેક્ષા આદિથી પરિકર્મિતતા આવ્યા પછી જ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય. જ્ઞાન સૂક્ષ્મ બને તો જ ગ્રંથિભેદ શક્ય બને. કોઈપણ “કરણ” એ સમાધિ જ છે. કરણથી ગ્રંથિભેદ થાય. આગળ-આગળના કારણો આગળ-આગળની સમાધિ આપતા જાય. જ્ઞાન વધુને વધુ ને સૂક્ષ્મ બનતું જાય. * આટલો બધો સ્વાધ્યાય ક્યારે કરીએ ? ઉંમર મોટી થઈ ગઈ, એમના માટે ઉપાય બતાવે છે : [બીજાએ આ ફાવતું નહિ કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy