SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જાય તે પ્રીતિ આવે? ફોન કંદર સૂચવે છે. મન લાગી જાય તે પ્રીતિ અનુષ્ઠાન. જ્યાં રુચિ હોય ત્યાં ઊંઘ આવે ? ફોન દ્વારા તમે મહત્ત્વની વાત સાંભળતા હો ત્યારે ઊંઘ આવે ? ઊંઘ અનાદરને સૂચવે છે. ઈચ્છા ન હોવા છતાં ઊંઘ આવી જાય છે તે વાત ખરી, પણ તે માટે સાવધાની તો રાખવી જોઈએ ને ? સાવધાની પ્રબળ હોય તો ઊંઘ શાની આવે ? * ભગવાન જન્મજાત યોગી છે. યમ-નિયમાદિનું પાલન કર્યા વિના જ પ્રભુને સહજ રીતે યોગ સિદ્ધ થયેલો હોય છે. જન્મ થતાં જ પ્રભુને ત્રણેય ભુવનના ઈન્દ્રો અભિષેક કરે, પ્રણામ કરે, છતાં પ્રભુ ત્યારે પણ અલિપ્ત હોય. માન-સન્માનથી ફૂલાઈ ન જાય. * “આંગી સારી છે.” એમ તમે કહો છો, પણ “ભગવાન સારા છે.” એમ લાગે છે ? આંગીના દર્શનાર્થે જાવ છો કે ભગવાનના દર્શનાર્થે ? જો કે આંગીનું દર્શન પણ અંતે તો ભગવાનના દર્શન તરફ જ લઈ જાય છે. કારણ કે આંગી પણ આખરે કોની ? ભગવાનની જ ને ? * આદિનાથ ભગવાન વજનાભ ચક્રવર્તીના ભવમાં દીક્ષિત બની ૧૪ પૂર્વ ભણેલા. તે જ્ઞાન સર્વાર્થસિદ્ધમાં લઈ ગયેલા ને ભગવાનના ભવમાં પણ હતું. આ જ્ઞાનના આધારે જ ભગવાને લોક-શિક્ષણ આપેલું. ભગવાનને એમાં દોષ ન લાગે. કારણ કે ભગવાન ત્યારે રાજા તરીકે છે. લૌકિક વ્યવહારમાં કુશળ બન્યા વિના લોકોત્તર વિદ્યામાં કુશળ બની શકાય નહિ. ' * શ્રાવક-શ્રાવિકા વહોરાવવા વગેરેમાં પોતાની મર્યાદા ચૂકતા નથી તો આપણાથી આપણી મર્યાદા કેમ ચૂકાય ? સંઘનું આપણા પર ઋણ ખરું ને ? એ ઋણનો કદી ખ્યાલ રહે છે ? * છ કાય જીવ એટલે ભગવાનનો પરિવાર ! ભગવાન કહે કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૧૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy