SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ તો મેલા થાય, નિર્વસ્ત્ર માણસને શું ? એમ સમજીને સમ્યક્ત તરફ દુર્લક્ષ નહિ સેવતા. ન હોય તો તેને મેળવવા પ્રયત્ન કરજો. હોય તો તેને નિર્મળ બનાવવા પ્રયત્ન કરજો. યાદ રહે કે પરભવમાં લઈ જઈ શકાય તેવું માત્ર સમ્યગુ દર્શન જ છે. ચારિત્ર લઈ જઈ શકાતું નથી. ક્ષાયોપથમિક ગુણોનો ભરોસો કરવા જેવો નહિ. માવજત ન કરો તો ચાલ્યા પણ જાય. તેલનો દીવો બુઝાતા વાર શી ? હા, રત્નનો દીવો ન બુઝાય. ક્ષાયિકભાવ રત્નનો દીવો છે. સાપ જેમ શોધીને ઘરમાંથી બહાર કાઢો છો, તેમ મિથ્યાત્વ – કષાયાદિને શોધી શોધીને બહાર કાઢો. - “ધર્મી જાગતા ભલા ને અધર્મી સૂતા ભલા.” જયંતી શ્રાવિકાના એક પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીરે આ કહેલું છે. આપણે સૂતેલા છીએ કે જાગતા ? સમ્યમ્ દષ્ટિ જાગતા કહેવાય. મિથ્યાત્વી સૂતેલા કહેવાય. આપણામાં સમ્યક્ત આવી ગયું ? ન આવ્યું હોય તો આપણે ખુલ્લી આંખે સૂતેલા છીએ, એમ માનજો. ૦ રોકડ નાણું વ્યવહારમાં કામ આવે. હાથમાં રહેલું શસ્ત્ર સૈનિકને કામ આવે. તેમ કંઠસ્થ જ્ઞાન આપણને કામ આવે. ચોપડીમાં પડેલું જ્ઞાન કામ નહિ લાગે. ઉપયોગમાં આવતું જ્ઞાન જ ચારિત્ર બની શકે. જ્ઞાનની તીણતા ચરણ તેહ.” જ્ઞાનની તીક્ષ્ણતા તે જ ચારિત્ર છે. પ્રતિક્ષણે ઉદયમાં આવતી મોહની પ્રકૃતિઓનો સામનો કરવા તીક્ષ્ણ જ્ઞાન જોઈશે, પ્રતિપળનો તીવ્ર ઉપયોગ જોઈશે, નહિ તો આપણે મોહની સામે હારી જઈશું. ' લખવાથી કે પોથા રાખવાથી તમે જ્ઞાની બની શકતા નથી. એ જ્ઞાનને જીવનમાં ઉતારવાથી જ જ્ઞાની બની શકો છો. હેમ પરીક્ષા જિમ હુએ જી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએ જી, જિહાં બહુ કિરિયા વ્યાપ...” - પૂ. યશોવિજયજી મ. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૮૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy