SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું ગુણઠાણું આપણને સ્પર્યું છે કે નહિ ? તેનું આત્મનિરીક્ષણ કરવું ઘટે. સમ્યક્તના લક્ષણો છે આપણામાં ? તાવ વગેરે ગયા છે કે નહિ તે આરોગ્યના ચિહ્નોથી જણાય તેમ અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વ આદિ ગયા છે કે નહિ, તે સમ્યક્તના લક્ષણોથી જણાય. આપણા કષાયોની માત્રા અનંતાનુબંધીની કક્ષાની તો ન જ હોવી જ જોઈએ. જિમ નિર્મળતા રે રતન સ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે, ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ...” - ઉપા. યશોવિ, ૧ ૨૫ ગાથાનું સ્તવન પ્રબળ કષાયનો અભાવ તે જ ધર્મનું લક્ષણ છે. કોઈની સાથે કટુતાની ગાંઠ બાંધી લેવી તે ઉત્કટ કષાયોની નિશાની પાપભીરૂ અને પ્રિયધર્મી : આ બે ધર્મીના ખાસ લક્ષણો છે. કાંટા ચૂભે ને પીડા થાય, તેમ કષાયોથી પીડા થવી જોઈએ. આપણને કાંટા ચૂભે છે, પણ કષાયો ક્યાં ચૂભે છે ? વાવ બાજુ આપણા સાધ્વીજીને એકી સાથે અનેક મધમાખીઓ ચોંટી પડેલી કેટલી પીડા થઈ હશે ? એક કાંટાથી શીલચન્દ્રવિ. સ્વર્ગવાસી બનેલા. એક કાટવાળા ખીલાથી અમૃતલાલ ગોધન (ભચાઉ)નો એકનો એક પુત્ર (પ્રભુલાલ) મૃત્યુ પામેલો. તેને ધનુર્વા થયેલો. આથી પણ વધુ ખતરનાક કષાયો છે. માટે જ થોડા પણ કષાયનો વિશ્વાસ કરવા જેવો નથી, એમ જ્ઞાનીઓ ફરમાવે છે. સમ્યક્ત સપ્તતિકા ગ્રંથ છે, જેમાં સમ્યત્ત્વનું પૂર્ણ વર્ણન છે. પણ એ વાંચે કોણ ? માટે જ તો પૂ. યશોવિ. જેવાને સમકિતના ૬૭ બોલની સજઝાય વગેરે જેવી ગુજરાતી કૃતિઓ બનાવવી પડી છે. સમ્યક્ત હોય જ નહિ પછી તેની શુદ્ધિ શું ? કપડાં હોય ૩૮૮ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy