SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરના ધાતુઓ સમ થઈ ગયા. પછી વાપરવા બેઠા તેથી વૈઘ સર્વજ્ઞોક્ત વિધાન પર ઝૂકી પડ્યો : કેવું સર્વજ્ઞનું શાસન ! ભયંકર ભૂખ લાગી હોય ત્યારે ૧૭ ગાથાનો સ્વાધ્યાય પણ ૭૭ ગાથા જેટલો લાભ આપે. ધર્મ કરીએ તો માત્ર આપણને જ નહિ, આખી દુનિયાને લાભ મળે. કઈ રીતે ? પક્ષ્મિસૂત્રમાં ધર્મના કેવા વિશેષણો વાપર્યા છે ? हिए सुए खमे निस्सेसिए आणुगामियाए । એટલે કે સર્વજીવોને કલ્યાણકારી આ ધર્મ છે. આથી જ ‘એક સાધુ સર્વ જગતનું રક્ષણ કરે છે.' એમ કહેવાય છે. ગોચરી લાવ્યા પછી પણ તેમાંથી બીજા સાધુની ભક્તિ કરવાની છે. ગૃહસ્થોમાં - શ્રાવકોમાં તો સાધર્મિક ભક્તિ માટે ચડાવા બોલાય. મદ્રાસમાં ફલે ચુંદડીનો ચડાવો ૫૧ લાખમાં ગયેલો. કોઈ ન લે તોય આગ્રહ કરનારને તો લાભ થાય જ. વિધિ અને ભક્તિ વિનાનું નિમંત્રણ પૂરણ શેઠની જેમ નિષ્ફળ બને. જ્યારે વિધિ સહિતનું જીરણ શેઠની પેઠે સફળ બને. ભલે એને ભગવાનનો લાભ ન મળ્યો પણ એનું નિમંત્રણ સફળ ! પૂરણ શેઠને ભલે ભગવાનનો લાભ મળ્યો, પણ તોય તેનું દાન નિષ્ફળ ! લાટ દેશના લોકો આપવાનો દેખાવ બહુ કરે, પણ આપે કાંઈ નહિ. આને લાટપંજિકા કહેવાય. પેલા ડફોળ શંખની વાર્તા સાંભળી છે ને ? માંગો તે કરતાં ડબ્બલ આપવાનું કહે, પણ આપે કાંઈ નહિ. માંડવીમાં આવો ડફોળ શંખ મળી ગયેલો. ઉપાનમાં ત્રણ નીવી લખાવી ગયો ને કહે : હું ભીલડીયા વગેરેમાં ટ્રસ્ટી છું. કાંઈ પણ કામ હોય તો કહેજો. પછી, ‘૮૦૦/- રૂ.ની જરૂર છે' કહીને ૮૦૦/- રૂ. લઈને ગયો તે ગયો જ. ફરી આવ્યો નહિ. સુરતના અમારા ચોમાસા પછી હસમુખ નામનો એક છોકરો ફોનથી સુરતના ટ્રસ્ટીઓ પાસેથી ૬૦ હજાર જેટલા રૂ. * કહે કલાપૂર્ણસૂરિ-૧ ૨૦૬
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy