SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી પરિણામે હિંદના ઇતિહાસમાં આધુનિક યુગને આરંભ થયેા. અસહકારનુ’ આંદોલન એના વિવિધ રૂપે ચાલુ થયું. ગાંધીજીએ પેાતે એમને મળેલા ખિતાબચાંદ સરકારને પાછા સાંપ્યા. પરદેશી માલ, સરકારી શિક્ષણ—સ...સ્થાએ, અદાલતા, સરકારી નોકરી તેમજ ધારાસભાના બહિષ્કાર કરવાનું એમણે લેાકેાને જણાવ્યું તથા દારૂબંધી અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અપનાવવા અનુરોધ કર્યો. અસહકારના આંાલનની અસર દેશમાં વ્યાપકપણે દેખાઈ. રાષ્ટ્રિય કેળવણીના ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું. રાષ્ટ્રિય વિદ્યાલયો અને વિદ્યાપીઠ સ્થપાયાં, જેમાં ‘ગૂજરાત વિદ્યાપીઠ' પણ એક હતી. દરબારી કે ઠકરાતી વર્ગ ઉપર આની અસર થઈ. ઢસાના દરબાર ગાપાળદાસ અંબાઈદાસ દેસાઈએ પેાતાની ગાદી છેાડી અને એએ અસહકારની લડતમાં જોડાયા. એમનાં પત્ની ભક્તિલક્ષ્મી પણ એમની સાથે જોડાયાં. એમણે આત્મભેગ આપી સ્રવ ને પ્રેરણા આપવાનું કામ કર્યું" અને પછી તેઓ સ્વાતંત્ર્ય--ચળવળમાં કાર્યરત રહ્યાં. ૪૦ ૧૯૨૧ માં અમદાવાદમાં કૉંગ્રેસનું ૩૬ મું અધિવેશન થયું. ખુરશીટેબલની જગાએ ગાદી-તકિયા ગાઠવાયા. ખાદી અને ગ્રામેાદ્યોગનું પ્રદર્શન યાાયુ', કોંગ્રેસના વરાયેલા પ્રમુખ શ્રી દેશબંધુદાસની ધરપકડ થતાં શ્રી હકીમ અજમલખાને પ્રમુખપદ સંભાળ્યું. મહાત્મા ગાંધીજીએ અસહકારના મુખ્ય ઠરાવ રજૂ કર્યો. અસહકારની લડત પૂરજોસમાં ચાલતી હતી. કાયદાભંગને લીધે સરકારી તંત્ર સ્થગિત થઈ ગયું હતું અને વાઇસરાય સહિત કારોબારી તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. ૧૯૨૨ ના ફેબ્રુઆરીની પહેલી તારીખે બારડાલીમાં સવિનય કાનૂનભંગની લડત પાતે ચલાવશે એવા ઇરાદાની ગાંધીજીએ વાઇસરૉયને ાણુ કરી રાજકેદીઓને છેડી મૂકવા અને પ્રજાની સ્વરાજ્યની માગણી સ્વીકારવા સાત દિવસના સમય આપ્યા, પણ એ સમય પૂરો થાય એ પહેલાં ઉત્તર પ્રદેશમાં ચૌરીચારાના હત્યાકાંડ બન્યા. પ્રજા હજુ અસહકાર અને અહિંસાને અ બરાબર સમજી નથી અને અહિંસક લડત માટે તૈયાર નથી એમ ગાંધીજીને સમજાયું. બારડાલીમાં ૨૨ મી ફેબ્રુઆરીએ મળેલી કૉંગ્રેસની કારાબારી સમિતિએ સવિનય કાનૂનભંગની લડત માકૂફ રાખવા પૂરતાં કારણુ ગણ્યાં અને એ અંગે ઠરાવ કર્યા અને સભા સરઘસા જાહેરસભા વગેરે કાર્યક્રમા બંધ કરી દેવા આદેશ આપ્યા. પરિણામે ૧૯૨૦–૧૯૨૨નું લાક–મ દેશલન પૂરું થયું. સુરતમાં અનાવિલ અને પાટીદારોના આશ્રમાની રાષ્ટ્રિય લડતમાં સારી કામગીરી રહી. એમના આગેવાનો દયાળજીભાઈ, કલ્યાણજીભાઈ, ડો. ચંદુલાલ દેસાઈ વગેરેએ રૂપિયા એક કરોડના ફાળામાં પેાતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું . F
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy