SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (વિદેશામાં તથા ભારતમાં ગુજશતીઓ) ૧૧ મુખીઓ પાસેથી વસવાટના હક્ક મેળવીને આ પ્રદેશ પચાવી પાડયો અને ૧૮૮૯ થી પ્રથમ વિશ્વયુદ્ધ સુધી એ જÖન કબા નીચે રહ્યું. ટાંગાનિકામાં શિવા હરજીની પેઢીનું વંસ હતું. જન વેપારીએ એની સામે ટકી શકથા ન હતા. પ્રિન્સ બિસ્માર્કના અનુગામી શ્રીવીએ રથ્યાંગમાં ભારતીય વેપારી વિશે ખેાલતાં જણાવ્યુ હતું કે 'આપણે એમની જરૂર છે. તેને આફ્રિકામાં આંતરપ્રદેશ સાથેના સંપર્ક છે. આપણે એમને હઠાવી શકીએ એવી સ્થિતિમાં નથી. એમની શક્તિના આપણે ઉપયાગ કરવા જોઈએ. બ્રિટિશ કાલાની કરતાં અહી વધારે કરવેરા છે એવી તે ફરિયાદ કરતા હેાય તેા એમણે સમજવું જોઈએ કે એમની સ્થિતિ એમના દેશમાં હેત એના કરતાં અહીં વધારે સારી છે.' ભાટિયા ખેાા અને અન્ય વેપારીઓનું વĆસ અહીં ઘણું હતું. ૧૯૧૩ માં વસ્તી ૮,૭૮૪ ભારતીયેાની હતી, જે પૈકી મોટા ભાગના ગુજરાતી હતા. ખેતી વેપાર અને બૅન્કિંગનાં ક્ષેત્ર ઉપરાંત કુશળ કારીગરી તરીકે દરજી સુથાર ધાબી હજામ વગેરેના ધંધા એમણે કબજે કર્યા હતા. કૉફી રૂ સીસલ કપરું અનાજ ચા વગેરેના વેપાર ગુજરાતીએને હસ્તક હતા, દારેસલામ ટાંગાનિકા ટખારા વગેરેમાં એમની ઘણી વસ્તી હતી. શાળાએ તથા વર્તમાન પત્ર તે ચલાવતા હતા. પોર્ટુગીઝ ઈસ્ટ આફ્રિકામાં ઈ.સ. ૧૮૬૭થી ભારતીય વેપારીએ વેપાર કરતા હતા. સને ૧૮૯૩ માં મેઝામ્બિકને પરચૂરણુ વેપાર ગુજરાતીના હાથમાં હતા. એમાં મુખ્યત્વે દીવ-દમણના ગુજરાતી હતા. આ વેપારીની સમયસર ચેતવણીને કારણે પાટુÖગીઝોએ માઝામ્બિકની ઉત્તરના પ્રદેશ ગુમાવ્યા ત્યારે આ પ્રદેશ ખાવા પડે એવી સ્થિતિમાંથી ખચી ગયા હતા. અહીંથી ભારતમાં કાજુની નિકાસ થાય છે. લેરેન્ઝો મારકસમાં નાનકડી ગુજરાતી શાળા હતી અને બાકીના ગાવાનીઝ હતાં. ન્યાસાર્લૅન્ડમાં હારેકની સંખ્યા પૈકી મોટા ભાગના મેમણુ ખાજા અને વાણિયા વેપારી હતા. અે।ડેશિયા તરીકે ઓળખાતા પ્રદેશ સેસિલ ૉર્ડ ૫૦૦ માણુસાની સહાયથી ૧૨–૯–૧૮૯૦ ના રાજ સેલિસબરી કબજે કરી હસ્તગત કર્યા હતા. ૧૮૯૮ માં એને આ નામ મળ્યું. સેલિસબરી ખુલવાયા વગેરેમાં હારેક ભારતીયેા છે, જે પૈકી મેાટા ભાગના ગુજરાતીઓ છે, જે સુરત જિલ્લા અને સૌરાષ્ટ્રમાંથી ગયેલા છે.૯ દક્ષિણ આફ્રિકાનું નાતાલ સંસ્થાન ૧૮૪૩ માં બ્રિટિશ સંસ્થાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, તેથી ડચ વસાહતી સ્થળાંતર કરીને ટ્રાન્સવાલમાં વસ્યા હતા. ભારતીયેાની વસ્તી આરે જ ફ્રી સ્ટેટમાં નહિત્ છે. મોટા ભાગની વસ્તી નાતાલમાં છે. ૧૮૭૦ પછી આવેલા લામાં સુરત અને સૌરાષ્ટ્ર-મુખ્યત્વે
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy