SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સર્પથ સ્થિતિ ૨૦૧ થઈ શકે એમ નથી ૪૪ આમ છતાં પણ જો આપણે ગુજરાતના આર્થિક ‘વિકાસ'ને એ સમયની સંસ્થાનવાદી નીતિના સંદર્ભમાં તપાસીએ તા સ્પષ્ટ રીતે જણાશે કે આ વિશ્વાસ છીછરા અને ઉપરછલ્લા હતા, પાયાને નહિ. ત્યાર પછી હકીકતમાં તા ગુજરાતના સૈકામે-જૂના ગૃહઉદ્યોગ એટલી ઝડપથી તારાજ થતા ગયા કે આ પ્રક્રિયાને અટકાવવા કવિ દલપતરામ, કવિ ન`દ, રણછેડલાલ ટાલાલ, હરગાવિંદદાસ કાંટાવાળા, વડાદરા-નરેશ સયાજીરાવ ગાયકવાડ, અંબાલાલ દેસાઈ તથા ગેાપાળ હર દેશમુખ જેવા નેતાઓએ વ્યવસ્થિત રીતે ઝુ ંબેશ શરૂ કરી.૫૫ ૧૮૫૧માં સુરતની એન્ડ્રુસ લાઈબ્રેરીમાં દલપતરામે રજૂ કરેલ (હુન્નરખાનની ચડાઈ' ગુજરાતમાં પ્રવતા અસ ંતાણનું પ્રથમ ગીત હતું.પરં તેા દેશી કારીગરીને ઉત્તેજન' (૧૮૭૭) જેવાં સ ંખ્યાબંધ પુસ્ત અને લેખા છપાયાં, જેમાં સાષુ કાગળ કાપડ હાર્ડવેર વાસણા વગેરે ઉદ્યાગા ઝડપથી તારાજ થતા જતા હતા એનું સચોટ આલેખન કરવામાં આવ્યું. અમદાવાદના ‘બુદ્ધિપ્રકાશે’ સ્વદેશાભિમાનથી ઊભરાતા લેખ છાપવાની બાબતમાં પહેલ કરી અને એણે બ્રિટનનાં આર્થિક આક્રમણાને વિશે ફરિયાદ કરવા કરતાં કઈ રીતે નવી ઢબથી માલ બનાવવા અને એને કઈ રીતે ખપાવવે એની ઉપર વધુ ભાર મૂકયો. ‘હિંદુએ એમની નાત સિવાયની બીજી નાતાનું ખાવાથી વટલાય છે, તે જ રીતે પેાતાના દેશ સિવાય પરદેશી માલ વાપરતાં એણે વટલાવુ જોઈએ અને પરદેશી માલ વિરુદ્ધ એટલે જ તિરસ્કાર ઢાવા જોઈએ.પ૭ ‘બુદ્ધિપ્રકારો’ આવી ધોષણાઓ દ્વારા પ્રશ્નમાં ‘આર્થિક રાષ્ટ્રવાદ'ને જુસ્સા પ્રકટાવવાની રીત શરૂ કરી. ધને નામે કરવામાં આવેલ આવી અપીલેામાં બળ જરૂર હતું, પણ ગુજરાતમાં હિંદુઓ ઉપરાંત અન્ય કામા પણુ હતી એ દૃષ્ટિએ જોઈએ તા એની મર્યાદા આંકી શકાય એમ છે; આમ છતાં પણ ૧૮૭૫ બાદ ગુજરાતના નેતાઓએ ગૃહ-ઉદ્યોગાને સજીવન કરવા માટે ગુજરાતમાં ઠેર ઠેર સ્વદેશી ઉદ્યોગ-મંડળીએ ઊભી કરી. વિલાયતી ચશ્માંથી દુનિયાને જોતા અને પરદેશી ચીજ-વસ્તુઓના ઉપયોગ કરવા ટેવાયેલા મધ્યમ વર્ગોના બુદ્ધિજીવીએ સ્વદેશીના કુમળા છોડને કાપવા પ્રયાસ કરશે એવી દહેશત ઘણા સ્વદેશાભિમાનીઓને હતી. આવા ‘માણસાની ‘બુદ્ધિપ્રકાશે' કડક ટીકા કરી.૫૮ • આમ છતાં પણ હિંદ સરકારની આર્થિક નીતિ છેક ૧૯૧૭ સુધી મુક્ત વેપારની નીતિ (Free Trade Policy)ની હાઈ એણે પ્રાનાં આંદેલાને પાંગળાં બનાવવાનું કાર્યાં કર્યું”. આમ, અગ્રેસ્નેએ દાખલ કરેલાં ભૌતિક સાધનેાના મુખ્ય લાભ સામાન્ય રીતે ઇંગ્લૅન્ડના માલેતુજાર વેપારીએ અને ઉદ્યોગપતિઓને જ મળ્યા.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy