SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળ Ket અધિ દાદાભાઈ નવાજી, સર દીનશા વાચ્છા, સર ફ્રીરાજશાહ મહેતા, ડૉ. હર હ દ ધ્રુવ, દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ, ત્રિભાવનદાસ માળવી, ડૅા. ત્રિભુવનદાસ કલ્યાણુદાસ ગજ્જર, મચેરશા પાલવજી કૅાબાદ વગેરે. આ અગ્રણી વેશનેામાં ભાગ લેવા ઉપરાંત ભાષણા કરતા, ઠરાવેા રજૂ કરતા, ઠરાવા પરની ચર્ચામાં ભાગ લેતા, લેખા લખતા અને પ્રજાકીય જાગૃતિના પ્રયત્ન કરતા હતા, અમદાવાદ ધિવેશન (૧૯૦૨) કેંગ્રેસનું ૧૮ મું અને ગુજરાતમાં પહેલું અધિવેશન ૧૯૦૨માં અમદાવાદમાં મળ્યું હતું અને પ્રમુખપ્રસ્થાને સુરેદ્રનાથ બેનરજી હતા. સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે દી, ખ. અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. આ અધિવેશનની સાથે જ ઔદ્યોગિક પરિષદનું ખીજું અધિવેશન પણ ચેાજાયું હતું, જેનું ઉદ્ઘાટન વડાદરાના સ્વતંત્ર પ્રકૃતિના રાજવી મહારાન્ત સયાજીરાવ ૩ જાએ કર્યુ હતું. આમ ગુજરાતમાં કૅાંગ્રેસની સ્થાપનાના બે દાયકામાં જ એનું પહેલું અધિવેશન અમદાવાદમાં યાાયુ એ ગુજરાતની રાજકીય જાગૃતિનું પ્રતિબિંબ પાડે છે. આ અધિવેશનમાં ૨૨ જેટલા ઠરાવ થયા હતા, જેમાં સરકારી નાકરીએજાહેર નેકરીઓના હિંદીકરણના, દેશમાં ઉત્પાદિત કાપડ ઉપરના એક્સાઈઝ વેરા રદ કરવાના, જનતાને કેળવણીના વિશેષ લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવવાના, દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓની સ્થિતિ અંગના, લશ્કરમાં ઊંચી પાયરીએ ઉપર હિં...દીઓને નીમવા બાબતને-જેવા રાજકીય જાગૃતિને પેષક ઠરાવેાના સમાવેશ થતા હતા. ૧૭ સ્વદેશી વસ્તુસંરક્ષક મંડળી (૧૯૦૯) અગાઉ નાંધ્યું કે સ્વદેશીની ભાવનાને ગુજરાતની પ્રાએ અભિવ્યક્ત કરી એક ૧૮૭૬ માં. સ્વદેશી પ્રવૃત્તિની યાજનાને એક હેતુ ખારભાવને સ્થિર કરવાને હતા, તા ખીજે સ્થાનિક ઉત્પાદનને પ્રાત્સાહિત કરવાના હતા, આથી ૧૯૦૩ માં પ્રસ્તુત મંડળીની સ્થાપના કરીને ગુજરાતે ખીજું વિધાયક પગલું ભર્યુ., ૧૮ આ પછી જ ભારતના શિક્ષિત લોમાં એક એવા અભિપ્રાય જોર પકડતા ગયા કે આપણા વિકસતા ઉદ્યોગાને રક્ષણ આપવુ એ આપણી ફરજ છે. અમદાવાદની—ગુજરાતની આ પ્રવૃત્તિ પણ સીમાચિહ્ન બની રહી, જેણે પછીના સમયે રાષ્ટ્રીય લડતના ખ્યાલને એક અભિનવ વળાંક આપ્યા. ગુજરાતે આરંભેલી સ્વદેશી-પ્રવૃત્તિની આ ખે સંસ્થા એટલે પ્રજાકીય જાગૃતિ અને લેકાની કાશીલતા. ૧૯૦૬ માં ઑગસ્ટની ૧૧ મીએ ૫૦ જેટલા વિદ્યાર્થી એનું એક મિલન
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy