SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સુ' ] સ્થાપત્યકીય સ્મારકા [ ૪૨૩ અનેક નિર્દેન ચળાએ તેમજ ગામના ગોંદરે ઠેર ઠેર વાવા બંધાયેલી મળી આવે છે. વાવેાના રચનારા વિશેની સામાન્ય ઉક્તિ એવી છે કે જે કાઈ વાવના બાંધનાર કે અંધાવનાર વિશેની માહિતી ન મળે તે વાવ વણજારાના નામે ચડી જાય. વણુજારાના નામે ચડેલી અસ ંખ્ય વાવા મળી આવી છે. ગુજરાતના પ્રાચીન વેપારના હેતુ માટે અવરજવરના ધારી મા` પર અમુક અમુક અંતરે જલાશય ધાતાં. સાĆનિક પરમા` માટે એનુ નિર્માણુ પુણ્યપ્રદ પૂધ ગણાતા. રચનાની દૃષ્ટિએ વાવનું સ્થાપત્ય વિશેષ પ્રકારનુ છે. એને આપણે પગચિયાંવાળા કૂવા કહી શકીએ. ગુજરાત-રાજસ્થાનમાં બાંધવામાં આવેલી વાવે ધણે ભાગે ચૂનાની છે. એમાંની કેટલીક પથ્થરની પણ બાંધેલી છે. પથ્થરની બાંધેલી વાવા ઘણે ભાગે સાદી હોય છે, પણ એમાંની કેટલીક સુંદર અને અલંકૃત પશુ છે. જે જગ્યાએ કૂવા કરવાના હાય તેનાથી અમુક અંતરે જમીન પર પ્રથમ એક પીઠિકા બાંધવામાં આવે છે તેની એક બાજુએ ચેાક્કસ કદનાં પગથિયાંઓની સીડીવાળી રચના કરતાં ક્રમે ક્રમે એ પગથિયાં ધીમે ધીમે પેલા કૂવાની એક દીવાલને છેદે છે. પાણીની સપાટીએ પહેાંચવા માટે પગથિયાં ઊતરનાર વ વધુ શ્રમ ન પડે એ માટે અંતરે અંતરે નાના કદના અને વચ્ચે વચ્ચે મેટા કદના પડથાર બાંધવામાં આવે છે અને એ રીતે વાવના ફૂવાને પહોંચવા ત્રણ ચાર પડથારથી માંડીને નવ-નવ પડથાર સુધીની યાજના કરવામાં આવે છે. આ મુખ્ય પડથારની બંને બાજુએ દીવાલને અઢેલીને ભીંતાસ્ત ંભા (કુડચત ભા) તથા વચમાં છૂટા સ્તંભો પર ટેકવેલ એક પછી એક મજલાની રચના કરવામાં આવે છે. અને પડચારની બંને બાજુની દીવાલામાં ગવાક્ષા યેાજીને દેવદેવીઓનાં શિ\ા, સુશાભના વગેરે મૂકવામાં આવે છે. આમ કૂવાના પાણીની સપાટીએ પહોંચતાં સુધીમાં વાવમાં ત્રણ, પાંચ કે સાત માળની યોજના આપે!આપ થઈ જાય છે. સ્થાપત્યની પરિભાષામાં આ માળને ‘ ફૂટ' કહેવામાં આવે છે. ફૂટની દીવાલની આસપાસ અગર તેા બંને બાજુએ કૂવામાં સહેલાઈથી ઊતરી શકાય એ માટે એની દીવાલામાં ત્રાંસી કે વર્તુલાકાર સીડીની યાજના કરવામાં આવે છે, જેથી ફૂવાના પાણીમાં ઉપરથી ભૂસકા માર નાર વ્યક્તિ એ સીડી મારફતે ઝડપથી ઉપર ચડી શકે. આ યાજના ન કરવામાં આવ તા એને ઉપર આવવા માટે વાવનાં બધાં પગથિયાં ચડવાં પડે. કેટલીક વાવેશમાં મધ્યમાં કૂવા રાખી ફૂવાની ત્રણે બાજુએ ઊતરી શકાય એ પ્રકારે પગથિયાંની રચના હોય છે. આવા દાખલા જવલ્લેજ જોવા મળે છે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy