SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખે [ ૩૮૦ સ્તંભનક : એતા આભિલેખિક ઉલ્લેખ વસ્તુપાલ તેજપાલના ગિરનાર ઉપરના લેખામાં ‘અણહિલપુર’ ‘ભૃગુપુર' 'સ્તંભતી' ‘દવતી' અને ‘ધવલક્ઝક’ વગેરે નગર કહ્યાં છે તેમાં ‘ભૃગુપુર' પછી થયેલા જોવા મળે છે. ૧ ૧ ૧ પ્રભાવક્રચરિતમાં અભયદેવસૂરિચરિત’માં ‘સેટિકા’ નદીને તટે ‘સ્ત‘ભનગ્રામ’ તરીકે નિર્દેશ્યુ છે૬૧૨ તે આ ‘સ્તંભનક' (થામણા) છે. ત્યાં પૂર્વે નાગાર્જુન નામના રસવિદ્યાસિદ્દે ભૂમિની અંદર રહેલા તી કર–બિંબના પ્રભાવથી રસનું સ્તંભન કર્યું હતું તેથી ત્યાં ‘સ્ત’ભનક’ એ નામનું ગામ વસાવવામાં આવ્યું. હાવાનું અને આ ‘રતંભનકતી''ની ઉન્નતિ માટે મલવાદિસૂરિની નિમણૂક શ્રીસ'ધે કરી હાવાનુ` પ્રબંધચિંતામણિકારે તાંધ્યુ છે. ૧૧૩ વળી એણે છેલ્લે વિસ્તારથી નાગાર્જુનની ઉત્પત્તિની વાત કહી અભયદેવસૂરિએ એ તીમાં પા નાબિંબ પ્રગટ કર્યાનું નિર્દેશ્યું છે.૧૧૪ વિવિધતીર્થં કલ્પ ‘સ્તંભનક’માં પાર્શ્વનાથ(નું દેરાસર) હાવાના માત્ર નિર્દેશ કરે છે,૬૧૫ જ્યારે પુરાતનપ્રશ્નોંધસંગ્રહમાં વસ્તુપાલ ‘રતંભન’ ગયાનું કહી, પ્રભાવકચરિતાનુસારી નાગાર્જુન-સ્તંભનકપ્રસંગ કહ્યો છે. ૧૧૬ પ્રશ્નધકાશમાં આ પાછલી વિગત પાદલિપ્તાચાય અને નાગાર્જુનના પ્રસંગ આપી જરા વિસ્તારી પછી અભયદેવસૂરિ અને મલ્લવાદીની વાત કહી, કુમારપાલ અને પછી વસ્તુપાલ–તેજપાલ તંભનકની યાત્રાએ ગયાનું કહ્યું છે.૧૧૭ આ ‘સ્તંભનક’ તે આજનું ‘થામણા', જે ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં ઉમરેઠ નજીક આવેલુ' છે. અહી અત્યારે જૈનેનું એક પણ દેરાસર બચ્યું નથી. ૧૧ સુ] - સિંહપલ્લિકા : મૈત્રક ધરસેન ૪ થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં ‘ખેટકાહાર’માં ‘સિ‘હ્રપલ્લિકાપથક' કહેવામાં આવેલ છે.૬૧૮ આ પંથકનું વડું મથક ‘સિ’હપલ્લિકા’ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડેસરથી દક્ષિણે આઠ કિ.મી. (પાંચ માઇલ) ઉપર આવેલું ‘સિહાડા' છે. પેટલાદ્ગ : ખેડા જિલ્લામાં આવેલા પેટલાદ તાલુકાના મુખ્ય મથક પેટલાદના જૂના રૂપ પેટલાદ્ર’ને નિર્દેશ પુરાતનપ્રબંધસ ગ્રહ અને પ્રશ્ન ધકાશમાં થયા છે, જેમાં વીરધવલ વાઘેલેા ગુજરી ગયા પછી વીસલદેવને અમાત્યાએ સત્તા સાંપી ત્યારે મેટા વીરમે પાંચ નગર માગેલાં તેમાં ‘પેટલાદ્ર' પણ એક હતુ. ૧૧૯ વિનયચંદ્રની ‘કાવ્યશિક્ષા’માં ‘પેટલાદ્ર’ વગેરે ‘ચતુરુત્તરશત’ ગામાના નિર્દેશ થયા છે, જે આજે ‘ચરોતર’ ભૂભાગ તરીકે સચવાયેલા મળે છે.૬૨૦ વરસિદ્ધિ ઃ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ પ્રભૂતવર્ષના ઈ. સ, ૮૧૩ ના અને
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy