SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વૃદ્ધિ પામે પણ તે જ વસ્તુ પરમાત્માને ચડાવવામાં આવે અને પરમાત્માના ગુણોનું સ્મરણ-ગાન કે ભક્તિ કરવામાં આવે તો પરમાત્મામય બનવાથી તે વિષયવાસનારૂપી અગ્નિ નાશ પામતા વાર ન લાગે. આસામચિંત્ય-મહિમા-જિનપસંસાવો, નામાપિપાતિ ભવતો ભવતો જગત્તિ, તીવાતપોપહત-પાન્થજના નિદાઘાછા (કલ્યાણ મંદિર) પ્રભુનામ સ્મરણથી, સઘળાં વિઘટેપાપ-સંતાપ, જે પ્રભુના અવતારથી અવનીમાં શાંતિ બધે વ્યાપતી જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી દષ્ટિ દુઃખો કાપતી. પ્રભુદર્શનની શીતલતાથી વિષયાદિ કષાયો રૂપ અશુભ ભાવો આત્મામાંથી ચાલ્યા જતાં આત્મા શીતલ નિર્વિકારી બને છે. પ્રભુના નામ-જાપ સ્મરણથી એકાગ્રતાથી આત્મામાં પ્રગટ થતી ઊર્જાથી પાપ-સંતાપ સઘળા ટળી જઈ પરમ શાંતિ પ્રગટે છે. “સુરભિ અખંડકુસુમાગ્રહી, પૂજે ગત સંતાપ, સુમનાતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ.” પ્રભુને સુગંધી અખંડ પુષ્પો શા માટે ચઢાવવાના?? પુષ્પો, સુગંધી, કોમળ હોય પરમાત્મામાં રહેલા ગુણો પણ તેવા જ. ગુણોરૂપી સુગંધથી આપણું મન વાસિત થાય, રુચિ પ્રગટે અને વિષયસુખની વાસનારૂપથી સંતાપ અનુભવતું આપણું દોષિત મન-દોષથી મુક્ત થાય અને સદા ગુણમય બનતાં જિનાજ્ઞા સ્વીકારવા રૂપ દીક્ષા ગ્રહણ ભાવના મનની અંદર સદા રમતી થાય અર્થાત્ નિર્મળ સમ્યગ્દર્શન પ્રગટ થાય તે માટે જ સુગંધી પુષ્પોથી પ્રભુની પૂજા કરવાની છે. આત્માએ પુદ્ગલના સ્પર્શને ભોગવવાનો નથી પણ આત્મગુણોની રુચિરૂપ સ્પર્શ કરવાનો છે. ગુણોનો સ્પર્શ થવો એટલે પોતાના દોષો પ્રત્યે કરુણા, તેને દૂર કરવા રૂપ નિર્વેદ અને તેને અનુભવવા રૂપ સંવેગ રુચિ રૂપ પરિણામોની સતત અજીવ તત્ત્વ | 255
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy