SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શના કરવાની છે. મિથ્યાત્વના ઉદયે, શરીર, ઈંદ્રિયને ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પ્રાપ્તિ થાઓ, તે રૂપ આર્તધ્યાન રતિ-અરતિ, સુખ-દુઃખ સંવેદન સદા ચાલુ રહે તેને બદલે રતિ-અરતિ મોથી બચવા અનુકૂળતા કે સાતાના સુખને છોડવાનો ભાવ અને પ્રતિકૂળતા કે અસાતામાં દુઃખ ન લાગવા રૂપ થાય તો આત્મા પોતાના સમતા સુખને અનુભવી શકે. પ્રવચન અંજન જે સશુરુ કરે દેખે પરમનિદાન હૃદયનયન નિહાળે જગધણી મહિમા મે સમાન. (પૂ. આનંદઘનજી મ.સા.) આત્મામાં સ્વાધીન થવા ગુરુને પરાધીન થાઓ: પ્રશમરતિ ગ્રંથમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છે. જ્ઞાન ગુરુને આધીન છે? એટલે તમે ગુરુને પરાધીન થાઓ તો ગુરુનું જ્ઞાન તમને આધીન થાય. આથી ગુરુને પરાધીન થવાની સાધના આત્મજ્ઞાન સ્વાધીન કરવા વડે આત્માએ સર્વ પરાધીનતા તોડી સ્વાત્માને સ્વાધીન થઈ સ્વાત્મામાં લીન થવાનું છે. સદ્ગને આધીન થવું એટલે સર્વજ્ઞ વચનને આધીન થવું. સદ્ગુરુનું પણ કાર્ય તેને જ શરણભૂત બને જેને પરમાત્માના શરણાર્થી બનવું હોય. પરમાત્માનું શરણ એટલે જ સર્વજ્ઞ વચનનો તત્ત્વરૂપે સ્વીકાર કરવો. સર્વજ્ઞ તત્ત્વ વડે વસ્તુ વિચારતાં વસ્તુ પૂર્ણ સત્ય સ્વરૂપે દેખાશે, તેથી તમારા વિચારો દિવ્ય થશે, દિવ્ય ભાવો પ્રગટશે. વસ્તુનું જ્યાં અજ્ઞાન ત્યાં મોહદષ્ટિ, ત્યાં કર્મબંધ. જ્યાં તત્ત્વ દષ્ટિ, ત્યાં સત્વખીલે! એટલે મોહદષ્ટિ છૂટે તો પુદ્ગલભાવની પરાધીનતાથી છૂટવાની વાત, નહીંતો પુદ્ગલભાવથી બંધાવાની વાત આવે. માત્ર પવાર્ય જ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે: માત્ર ઈન્દ્રિયોથી જો વસ્તુનો નિર્ણય થાય તે જ્ઞાન પૂર્ણ નહીં. પર્યાય માત્ર જ્ઞાન, પર્યાય જ્ઞાન-મિથ્યાજ્ઞાન તે વસ્તુમાં વિષયભાવ જગાડે આથી એક વિષયમાંથી બીજા વિષયોના આવર્તમાં ફસાઈ જવાય. આકારથી રૂપમાં, રૂપથી ગંધમાં, ગંધથી રસમાં, રસથી સ્પર્શમાં ફસાતો-બંધાતો જાય, આમ આત્મા બહિરાત્મા બનતો જાય. આથી આંખમાં સદ્ગુરુ દ્વારા પ્રવચન અંજન ન કરવામાં આવે તો આંખ વડે બહિરાત્મામાં-આત્માની બહાર ભમવા જવાનું થાય. 254 | નવ તના
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy