SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કળાકારીગરી આદિ જેટલી વિશેષ તેટલી તે વધારે આદર, બહુમાન, આકર્ષણ રૂપ ઉપાદેય ભાવને પામે. જે રાગ-રતિ માટે થાય અને આત્મા પોતાના વીતરાગ સ્વભાવમાં, સમતા, નિર્વિકાર સ્વભાવનો ઉપયોગ ન રહે તો તે સ્વભાવમાં ભેદ અને તેના પ્રતાપે કર્મ બંધ શરૂ. જેમ જેમ આકારને જુએ તેમ તેમ આત્મા પોતાના વીતરાગ સ્વભાવ, સમતા, નિર્વિકાર, સ્વભાવના ઉપયોગમાં ન રહેતા મોહના ઉદયે આકાર રંગાદિમાં આકર્ષાયો. આકાર, ડિઝાઈન ગમવાનું કારણ શું? પરમાણુઓ રંગબેરંગી રૂપ અને જુદા જુદા ડિઝાઈન રૂપે ગોઠવાયા છે માટે ગમે, પણ આત્માનો સ્વભાવ શું? આત્માનો સ્વભાવ અને માત્ર શેય રૂપે જાણવાનો છે. પુદ્ગલનો સ્વભાવ છે બંધાઈ જવાનો અને અમુક કાળ પછી જુદા થવાનો, ભેદાઈ જવાનો. આમાં આપણે એને ટીકીટીકીને જોયું તો તેમાં બંધાઈ ગયા માટે સાધુને હવે જોવા જાણવાનું પણ બંધ. કુતૂહલથી પણ જોવાનું નથી. જિન મંદિરમાં પણ પરમાત્મામાં રહેલી વીતરાગતાને જોવાની છે. માત્ર આંગીના દર્શન કરવા જવાનું નથી. સાધુએ તો માત્ર અધ્યાત્મિકતામાં રહેવાનું છે. મંદિરાદિના નિર્માણ કાર્યમાં શિલ્પના પણ જાણકાર શ્રાવકો હોય તો સાધુએ તેમાં ન પડાય. જરૂર પડે સંયમ મર્યાદામાં રહી શાસ્ત્ર અનુસાર માર્ગદર્શન આપે. પુદ્ગલનો સ્વભાવ હતો તેને આત્માએ પકડી લીધો. આખું જગત આકારથી ભરેલું છે. આત્મા નિર્વિકાર, નિરાકાર છે તેથી આત્માએ તેમાં પડવાનું નથી. વર્તમાનમાં આત્મા આકાર ને રૂપવાળો બન્યો છે અને અનાદિથી અંદર રાગાદિની વાસનાઓ ભરેલી છે તેથી રૂપ, આકાર નજર સમક્ષ આવતાં અંદરની વાસનાઓ જાગ્રત થાય છે. • સચનેક હાથી અને 14 શરીહારના રાગે ભયંકર યુદ્ધની આગ પ્રગટી: શ્રેણીક રાજાએ કોણિકને રાજ્ય આપ્યું, હલ્લ-વિહલ્લને સચેન, હાથી, ચેલણાને ૧૮ શેરી હાર અને અભયકુમારની માતા નંદાને દિવ્ય બે ગોળા આપ્યા નંદા ક્રોધાવેશમાં આવી બોલ્યા શું હું નાનો બાળક છું. મને રમવાના રમકડારૂપ બે ગોળા આપ્યા, એમ કહી નીચે ફેંક્યા. ગોળા તૂટતા તેમાંથી બે દિવ્યકુંડળ નીકળતા રાજી થઈને લઈ લીધા. માત્ર વૃતાકાર ગોળા નહોતા ગમ્યા, ક્રોધ-દ્વેષ, અરતિને જીવ આધીન થયો અને તે જ દિવ્ય કુંડલ-વિશિષ્ટ આકાર, ડીઝાઈનને જોઈ રાગ, રતિને આધીન થયો. પણ અભયકુમારે “રાજેશ્વરી નરકેશ્વરી'ની શ્રદ્ધાથી રાજ્ય ન 224 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy