SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ લેતા સંયમ સામ્રાજ્યનો સ્વીકાર કર્યો તેની સાથે માતા નંદાએ પણ દીક્ષાનો સ્વીકાર કર્યો, હલ્લ-વિહલ્લને સચેનક હાથી તથા ૧૮ શેરીહાર તેમને મળ્યા. તેઓ સચેનક હાથી પર અંતઃપુર સાથે જ્યારે રાજમાર્ગો પરથી પસાર થયા ત્યારે તે સર્વલોકમાં આદરને પાત્ર બન્યા, કોણિક તો નામથી રાજા રાજાશાહી તો હલ્લ-વિહલ ભોગવે છે. આવો વર્ણવાદ લોકમુખે સાંભળીને તથા સચેન, હાથી, રાણીઓને વિવિધ ક્રિડા કરાવતો તથા દિવ્યકુંડળ હારથી શોભિત આ દશ્ય જોઈ કોણિક પત્ની પદ્માવતીને ઈષ્ય પ્રગટ થઈ. તે દિવ્યકુંડલાદિ પોતાને મળે તે માટે કોણિકને કાનભંભેરણી કરવા વડે યુદ્ધનું મંડાણ થયું. જેમાં ૧ ક્રોડ ૮૦ લાખ લોકોનો સંહાર જેમાં ૧૦ હજાર માત્ર તિર્યંચગતિમાં (માછલીની યોનિમાં) બાકીના કોણિકના ૧૦ ભાઈઓ તથા અન્ય સૈનિકો નરકમાં ગયા. ચેટક રાજાએ કુવામાં પડી અનશન કર્યું. ધરણેન્દ્ર તેને પોતાના દેવલોકમાં લઈ ગયો ત્યાં તેણે પ્રાણ છોડ્યા. મોટામાં મોટું યુદ્ધ થવાનું કારણ માત્ર પુદ્ગલનો ગમો અને પ્રગટેલી ઈર્ષ્યા. (૨) વૃત્ત સંસ્થાન : વૃત્ત (ગોળ-દડો) વચમાં પોલો અથવા ઘન પણ હોય પરમાણુઓ જ્યાં ચારે તરફથી પૂર્ણરૂપે ભરાઈ જાય. દા.ત. લાડુ, લોખંડનો ગોળો તેમાં જેટલા પરમાણુના સ્નિગ્ધથી, વધારે તે રુક્ષ પુદ્ગલ સાથે જલદી અને દીર્ઘકાળ સુધી જોડાઈને રહે. પણ જોડાયેલા પરમાણુ પાછા જુદા પડવારૂપ ભેદ થયા જ કરે. લોખંડમાં કાટ થાય તે કાટ ખર્યા કરે તેમ લોઢું પાતળુ થાય. લાડવામાંથી પણ પરમાણુ છૂટા પડે. એવું ને એવું તે કદી રહે નહીં, પરાવર્તન ભેદ સ્વભાવને કારણે થાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ પણ જાય, અમુક કાળ પછી લાડવો અભક્ષ્ય થાય કારણ કે વર્ણગંધાદિમાં પરિવર્તન આવે. પરમાણુ પરિવર્તન સ્વભાવ વાળા હોવાથી સંખ્યારૂપે પણ વધે ઘટે, વર્ણગંધાદિનું પરિવર્તન-વધ ઘટ થયા કરે. જો આ ભેદ જ્ઞાનથી આત્મા ભાવિત અને સ્વ સ્વભાવમાં સ્થિર ન થાય તો મહારાગાદિનું કારણ બને. જેમ કોણિક પત્ની પદ્માવતીને “દિવ્યકુંડલ, ૧૮ શેરી હાર, કળાવાન સચેનક હાથી” ગમી જવાને કારણે તે મેળવવા ઈષ્ય અસૂયાદિ કષાયને પરવશ બની કોણિકને ઉશ્કેરી, તેને ભાઈઓ સામે યુદ્ધ કરાવ્યું અને ૧ ક્રોડ ૮૦ લાખ જીવો તે યુદ્ધમાં મરી દુર્ગતિના મુસાફર બન્યા તે બધામાં નિમિત્તભૂત બની. ભેદજ્ઞાન સફળ કયારે ? ભેદજ્ઞાન સફળ ત્યારે જ કહેવાય જયારે ભવનો ભેદ કરવામાં તે સહાયક થાય. અજીવ તત્વ | 225
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy