SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વિષમતા હોય. સમાન હોય તો ન બંધાય. જેમ લોહચુંબકમાં ચુંબકત્વ શક્તિ હોય તો તે લોખંડની રજને પકડી લે પણ ચુંબકત્વશક્તિના હોય તો પકડી શકે નહીં. તેમ આત્મા પણ સ્વજોયના જ્ઞાતા અને સ્વના ભોકતા પરિણામ સ્વભાવમાં ન રહે પરંતુ પરના જ્ઞાતા-પરના ભોકતા વિભાવ રૂપે થવા જાય ત્યારે તેને પણ કર્મબંધ થાય. જેમ અનુકૂળશીતળકોમળવાતાવરણગમી જશે અને પ્રતિકૂળ ઉષ્ણ વાતાવરણ પણ નહીં ગમે તો તરત કર્મબંધ થશે. સમતા ગઈ-ગમો અણગમો થયો. પુદ્ગલના વિવિધ પિંડનું જુદા-જુદા આકારનું જ્ઞાન થયું ને તેમાં પણ ગમો અણગમો થાય તો તરત કર્મબંધ શરૂ. આથી ભેદજ્ઞાન ઉપયોગમાં આત્માના સ્વભાવનો ભેદન થાય તેનો સતત ઉપયોગ-રુચિ જરૂરી. નહીં તો સતત કર્મબંધ અને તેના વિપાકરૂપે ગતિ, બંધ, ભેદ અને સંસ્થાનાદિ પુદ્ગલપર્યાય રૂપે આત્માને પરિણમવું પડે છે આત્માના સ્વભાવ વિરુદ્ધ છે. (૪) સંસ્થાન-આકાર પરિણામ: જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ચારેય અરૂપી, નિરાકાર, નિરંજન, નિર્લેપ દ્રવ્યો છે. તેથી બંધ, ભેદ, સંસ્થાનાદિ પરિણામથી રહિત અને જીવાસ્તિકાય માત્ર ઊર્ધ્વ ગતિ પરિણામી છે તે બધામાં નથી. પુગલના આકાર બે રૂપેઃ અ) નિયત બ) અનિયતા અ) નિયત નિયતકાર પાંચ પ્રકારે ઃ ૧) પરિમંડલ ૨) વૃત્ત ૩) ત્રિકોણ ૪) ચતુષ્કોણ ૫) આયાત. ૧) પરિમંડલ સંસ્થાન : (બંગડી ગોળ) પરિ = ચારે તરફ, મંડળ ગોળાકાર રૂપ-ચારે બાજુથી વલાયાકાર. વચ્ચે પોલાણ રહે તે રૂપે પરમાણુઓનું ગોઠવાઈ જવું. બંગડી, કાચ, પ્લાસ્ટીક, લાકડું, ચાંદી, સોના, રત્ન, હીરાદિરૂપ વિવિધ રીતે પરમાણુઓનું વલયાકાર રૂપે ગોઠવાયેલા જડ પરમાણુના ઢગલા માનવાને બદલે તેને તે બંગડી રૂપે જ માનશે અને તે મોહના કારણરૂપ બનશે. પરમાણુએ પોતાના ગતિ-બંધ સ્વભાવને કારણે તે પ્રમાણે ગોઠવાઈને એક વિશિષ્ટ આકાર ધારણ કર્યો છે. બંગડી જેટલી મોટી, કાચાદિ ઉત્તરોતર વિશેષ પરમાણુ વાળી તેમ તે લોકમાં કિંમતિ, આદરને પાત્ર બને. તેમાં જેટલા રંગ, અજીવ તત્વ | 223
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy