SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. ઉત્પત્તિ ૧૩૦ સાબિત કરીશું.૨૦ મૌર્ય ક્ષત્રિય,૨૧ તે સંત્રીજી નામક ક્ષત્રિય સમુહના અનેક ભાગોમાં એક ભાગ હત; કે જે સંત્રીજી ક્ષત્રિયોનું મુખ્ય સ્થાન વિદેહ ( મિથિલાનગરી ) હતું ને જેના મુખ્ય નેતા ચેટક રાજા હતાઃ મહાપરિનિવ્વાણુસૂત્તમાં પણ તેને ક્ષત્રિય જાતિને કહ્યો છે. ચંદ્રગુપ્તના જન્મ વિશે એમ કહેવાય છે કે, તેની માતા મુરા, તે ઉત્પર નંદનવમાના કોઈ મયૂર પષકની પુત્રી હતી. તેના પિતાનું નામ અજ્ઞાત છે. જ્યારે તે ગર્ભમાં હતું. ત્યારે તેની માતાને ચંદ્રબિંબ, ગળી જવાનો ( ૨૦ ) J. N. I. P. 132 :–The Mahavamsha calls him a scion of the Moriya clan. In the Divyavadan, Bindusara, tho son of Chandragupta, claims to be a kshatriya murdhabhishikta. In the same work, Asoka, the son of Bindusara calls himself i kshatriya ( Cowell & Neil Divyavadan p. 870 ) જે. . . પૃ. ૧૩૨ :મહાવંશમાં તેને મેરિયાક્ષત્રિય જાતિને પુરૂષ ગ છે : દિવ્યાવદાનમાં ચંદ્રગુપ્તને પુત્ર બિંદુસાર પિતાને ક્ષત્રિય મૂર્ધભિષિક્ત ગણાવે છે. તે જ ગ્રંથમાં બિંદુસાર પુત્ર અશક પિતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે (જુઓ કાવેલ અને નાઇલનું દિવ્યાવદાન પૃ ૩૭૦ ) તથા જુઓ આગળ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે, ખોટાનની છત સંબંધી હકીકત. Dr. Roy Chaudhari observes that Chandragupta belonged to a kshatriya community-viz-The Moriya ( Mauriya ) clan-ડૉ રોય ચૌધરી કહે છે કે, રાજા ચંદ્રગુપ્ત મેરીયા (મૌર્ય ) જાતની ક્ષત્રિય કોમન હતો. મૌખરી રજપુતો જેમણે ગ્વાલિયર ઉપર રાજ્ય કર્યું છે અને જેના વંશમાં યશવર્ધન, આમ ( ચક્રાયુદ્ધ ) વિગેરે રાજાએ થયા છે, તેમને અને આ મૌર્યવંશી ક્ષત્રિય જાતિને સંબંધ હોવા સંભવ છે. વળી સરખાવો પુ. ૧. પૃ. ૧૦૧ માં પંજાબપતિ રાજા અભિનું વર્ણન, ( ૨૧ ) કે. એ. ઈં. ૫ટ નં. ૧૨ જુઓ: તેમાં રાજા ચંદ્રગુપ્ત અને બિંદુસારના સિક્કાઓ બતાવાયા છે ( આ પુસ્તકમાં સિક્કાચિત્રે આંક નં. ૭૧, ૭૨.) તેમાં એક ક્ષત્રિયને છાજે તેવો ઘોડો અને માથે મેરના જેવી કલગી ચીતરી છે જે તે ક્ષત્રિય ન હોત અને મોર કે મૌર્ય સબ્દની સાથે સંબંધ ધરાવતી ઉત્પતિ તેની હેત તે, તેમાં કેવળ માર મયુરનું જ ચિહ્ન કેતરવાનો સંભવ હતા. એટલે ઘોડાના ચિહ્ન ઉપરથી તે ક્ષત્રિયાત્મન એક વીર પુરૂષ હતો એમ કહી શકાશે. | ( ૨૨ ) મુદ્રારાક્ષસ નાટક ઉપરથી દેખાય છે કે મહાપદ્મને બે રાણીઓ હતી. (૧ ) રત્નાવતી અને ( ૨ ) મુરા. મુરા તે શુદ્ધ જાતિની અને તેને પેટે ચંદ્રગુપ્તને જન્મ–આ વાત સાચી માનવામાં વિરોધ એ આવે છે, કે મહાપવનો પુત્ર તો મહાનંદ છે, અને તેનો જન્મ શદ્વાણીને પેટે છે ( જુઓ તેનું વર્ણન ) અને તેનું રાજ્ય ૪૩ વર્ષ ચાલ્યા બાદ ચંદ્રગુપ્ત થયો છે. એટલે મહાપદ્મ અને ચંદ્રગુપ્તની વચ્ચેજ તેટલો સમય ગયો કહેવાય. તો પછી તે બેને પિતા પુત્રને સંબંધ કયાંથી કહી શકાય ? હિંદુ પુરાણમાં, મહાપદ્ય અને મહાનંદને, એકબીજાનાં નામ સાથે એટલા બધા સેળભેળ કરી દીધા છે, કે એકની હકીકત બીજાની સાથે ભેળાઈ જાય છે. જેથી અનેક ગુંચવણ ઉભી થાય છે જુઓ નીચેની ટી. ૨૩) જેને આપણે મહાનંદ કહ્યો છે તેનું નામજ મહાપા ગણીને મુદ્રારાક્ષસનું કથન ઉપર પ્રમાણે કદાચ થયું હોય તો, ચંદ્રગુપ્ત તે નવમાનંદનો પુત્ર હતો એમ કહેવાનો ભાવાર્થ થાય છે. પણ નવમાનંદને અને ચંદ્રગુપ્તને પિતા પુત્રને સંબંધ જ હોઈ ન શકે, તે મુદ્દો આપણે પુ. ૧ પૃ. ૩૬૮ માં સાબિત કરી બતાવ્યું છે. એટલે તે હકીકત પણ ટકી શકતી નથી. ( વળી નવમાનંદ સાથે તેને સંબંધ ” તે નીચે લખેલ પારિગ્રાફ વાંચે ). | ( ૨૩ ) તેના પિતાનું નામ મેહપાળ હતું (વિદ્યાપ્રસારક વર્ગનું જનતત્પાદશ ભાગ બીજે પૃ. ૩૧૫) અને જે તે મહાનંદને પુત્રજ હેત ( પુરાણકાર કે મુદ્રારાક્ષસના મત પ્રમાણે-જુઓ ઉપરની ટીકા ૨૨ ) તો મહાનંદના વંશનું નામ અને ચંદ્રગુપ્તના વંશનું નામ અને એકજ ગણાત. હાલ જે ભિન્ન લેખવામાં આવે છે તેમ ન થાત. (જુઓ “નવમાનંદ સાથે તેને
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy