SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દેવા સમર્થ છે. | નીતિશાસ્ત્ર કહે છે એ ઊગતા શત્રુને અને ઊગતા રોગને તુરંત ડામવા જોઇએ.” આનો અર્થ એ કે શત્રુ નબળો છે અથવા નાનો છે એમ સમજીને તેની ઉપેક્ષા ન કરાય. રોગ પણ થોડો છે માટે તેની નિષ્કાળજી ન કરાય. એ જ રીતે જ્યારે જ્યારે નાનકડું પાપ જીવનમાં પ્રવેશતું હોય ત્યારે જ તેને ડામી દેવામાં આવે તો મોટું પાપ જીવનને અભડાવી શકતું નથી. - તાવ થોડો થોડો આવ્યા કરતો હોય તેથી તેની ઉપેક્ષા કરવામાં આવે તો એ જીર્ણજ્વર કાયામાં ઘર કરી જઇને આખા શરીરનું સ્વાસ્થ ખતમ કરી નાખવા સમર્થ બની જાય છે. નાનું પણ પાપ ભયંકર છે ? આથી જ નાનું છે એમ સમજી તેની ઉપેક્ષા ન થાય. હકીકત તો એ છે કે “નાનું હોવાથી જ તેના પ્રત્યે વધુ ગંભીર બની જવું જોઇએ. મનનું પાપ સામાન્ય રીતે ભયંકર નથી ગણાતું. તેનું પ્રાયશ્ચિત્ત પણ અલ્પ હોય છે. છતાં કુમારપાળ મહારાજાએ મનના પાપને “નાનું ન ગણતાં તેને જ ભયંકર ગયું અને આથી જ તેણે અભિગ્રહ કર્યો કે મનથી જે મારાથી “પાપ” થઇ જાય તો ઉપવાસ કરવો અને એ જ પાપ કાયાથી થાય તો એકાસણું પ્રાયશ્ચિત્તરૂપે કરવું. તેમણે કેમ આમ કર્યું ? એનું કારણ જ એ છે કે તેઓ જાણતા હતા કે મનનું નાનું ગણાતું પાપ જ જ્યારે ઉપેક્ષિત થાય છે ત્યારે તેમાંથી કાયાનું મોટું પાપ પેદા થઈ જાય છે. આથી જ્યારે પાપ “નાનું હોય ત્યારે જ જો તેની સખત શિક્ષા સ્વીકારી હોય તો તે “મોટું થવાનું જ નથી. ધરતીને ચીરવા માટે નાનકડું બીજ જ સમર્થ છે. તે કામ કાંઇ મોટો-દેત વડલો કરી શકતો નથી. આમ ? પાપોથી ડરવાનો, પાપભીરુ બનવાનો પહેલો ઉપાય એ છે કે હંમેશ એ વિચારવું કે મારાં સર્વ દુઃખોનું મૂળ પાપ” જ છે તેથી મારે પાપ ન કરવું જોઇએ. અને પાપોનો ડર પેદા થયા પછી પાપોથી બચવા માટેના ઉપાયો છે (૧) પાપનાં નિમિત્તોથી દૂર રહેવું અને (૨) નાનાં પાપોથી સતત સાવધાન રહેવું.
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy