SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અબજોનો માલિક સાતમી નરકનો મહેમાન. બિહારની એ ભૂમિ. તેમાં આવેલી તે નગરી. રાજગૃહી તેનું નામ. તેના સમ્રાટ હતા. મહારાજા શ્રેણિક - જે નગરીમાં ભગવાન મહાવીરે ચૌદ ચૌદ ચાતુર્માસ વીતાવીને પોતાની ધર્મસુધાની અમરવાણી વહાવી હતી. કેટલાય જીવોને પતિતમાંથી પાવન બનાવ્યા હતા...હા...ખુદ રાજા શ્રેણિકનેય નાસ્તિકમાંથી આસ્તિક બનાવેલા...એટલું જ નહિ, ઇતિહાસ જેના ગુણ-ગૌરવનું ગાન કરે એવો જૈન શ્રાવક બનાવ્યો હતો, એ જ નગરીમાં એક અભાગી જીવ વસે...જેણે વીરની વાણીનું અમૃત પાણી તો કદી પીધું ન હતું, પરંતુ મહાવીરનું મનોહર મુખડું જોવાના સૌભાગ્યથી પણ તે વંચિત રહી ગયો હતો... નામ હતું એનું મમ્મણ... એક રાતની આ વાત છે...તે રાતે અંધારું ઘોર હતું. મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. નગરીના કાંઠે વહેતી નદીમાં જોસબંધ પૂર વહી રહ્યું હતું. તેમાં લાકડાં તણાઈ આવતાં હતાં. માહ માસની કડકડતી ઠંડીના એ દિવસો હતા. એમાં પેલો મમ્મણ કાળી અંધારી રીતે ધોતીનો કછોટો મારીને નદીનાં પૂરમાં વહી જતાં લાકડાંને ખેંચી લાવતો હતો... શ્રેણિક-રાયના ધર્મશીલા રાણી ચેલણા, ઝરુખે બેઠાં બેઠાં આ દ્રશ્ય જોઈ ગયાં...કરુણાભીનું એમનું અંતર જોઇને દ્રવી ઊઠયું. બીજે દિ' સવારે જ તેઓ ગયા શ્રેણિક પાસે. “સ્વામિન્ ! તમારા રાજ્યમાં આ તે કેવો અંધેર ? પ્રજા આવી હાલાકીમાં જીવે અને તમે એશોઆરામમાં જિંદગી વીતાવો ?” શ્રેણિક બોલ્યા: “રાણી ! આમ આકળા ન થાઓ, માંડીને વાત કરો તો કાંઇક સમજાય.” ચલ્લણા બોલ્યાં “રાજન્ ! કાલે રાતે કડકડતી ઠંડીમાં એક ચીંથરેહાલ ભિખારી ખુલ્લા ડિલે નદીનાં પૂરમાંથી લાકડાં પકડતો હતો...પેટનો ખાડો પૂરવા ૨૯૯]
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy