SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] [ અણગારનાં અજવાળા મહાસતીજીઓ પૂ. ઝવેરબાઈ, પૂ. મોંઘીબાઈ, પૂ. અંગુરબાલાજી આદિ છે. આઠ કોટિ મોટો પક્ષ ઃ પૂ. મૂળચંદજીના સાતમા શિષ્ય પૂ. ઇન્દ્રજીની પરંપરામાં પૂ. ભગવાનજી, પૂ. સોમજી, પૂ. કરસનજી, પૂ. દેવકરણજી, પૂ. સોમજી ડુભાજી આદિ સંતો છે. . દેવજીનો સંપ્રદાય આઠ કોટી મોટા પક્ષના નામે પ્રસિદ્ધ થયો. તેમાં પૂ. કેશવજીથી લઈ ૧૦ પાટો થઈ, પૂ. વૃજકુંવરબાઈ, પૂ. રૂક્ષ્મણીબાઈ, પૂ. દમયંતીબાઈ, પૂ. સુભદ્રાબાઈ આદિ સતીઓ થઈ. કચ્છ આઠ કોટી મોટા પક્ષ છોટાલાલજી મ.સા.ના શિષ્ય પૂ. પ્રાણલાલજી, પૂ. પૂનમચંદજી, પૂ. ધીરજલાલજી, પૂ. સુભાષમુનિ, પૂ. ભાઈચંદજી આદિ સંતો છે. આઠ કોટિ નાનો પક્ષ : પૂ. ડાહ્યાજીના બીજા શિષ્ય પૂ. જસરાજજી મ.સા.થી આઠ કોટી નાના પક્ષની સ્થાપના થઈ. તેમાં પૂ. નથુજી, પૂ. હંસરાજજી, પૂ. વૃજપાલજી, પૂ. ડુંગરશી, પૂ. નાનજી મ.સા.નો સમાવેશ થાય છે. * આચાર્યપ્રવર પૂ. રામજી સ્વામી, શ્રી રાઘવજી સ્વામી, પૂ. ભાણજી, પૂ. ગોવિંદજી, પૂ. ભીમજી, પૂ. શીવજી, પૂ. સૂરજીની મ.સા.ની નિશ્રામાં પૂ. લક્ષ્મીબાઈ મહાસતીજી, પૂ. તીમીબાઈ, પૂ. સાકરબાઈ, પૂ. મંગબાઈ, પૂ. કમલાબાઈ આદિ સતીવૃંદ છે. હાલારી સંપ્રદાય ? હાલારી સંપ્રદાયમાં ૫.૨.પૂ. કેશવજી મ.સા., પૂ. નાનજી મહારાજ અને તેઓની આજ્ઞાના પૂ. કમલાવતી આદિ સાધ્વીનો સમાવેશ થાય છે. વર્ધમાન સંપ્રદાયમાં પૂ. પૂનમચંદજી મ.સા.ના શિષ્ય પૂ. નિર્મલમૂનિ તથા મહાસતીમાં પૂ. રૂક્ષ્મણીબાઈ આદિ સતીવૃંદનો સમાવેશ થાય છે. લીમડી અજરામર સંપ્રદાય : ક્રિયોદ્ધારક શ્રી ધર્મદાસજીની પરંપરામાં સં. ૧૮૦૯માં પૂ. અજરામરજી મ.સા. થયા. આ પાટ પર પૂ. દેવરાજ મ.સા.થી પૂ. શતાવધાની રત્નચંદ્ર સુધીના મહાન સંતો થયા. આચાર્ય રૂપચંદ્રજી મહારાજના શિષ્યરત્ન પૂ. નૃસિંહજી મ.સા.
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy