SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ' (૧) મિથ્યાદેષ્ટિગુણઠાણે સત્તા :e જે જીવો મિથ્યાષ્ટિગુણઠાણેથી ક્યારેય સાસ્વાદનાદિગુણઠાણે ગયા ન હોય, તે “અનાદિમિથ્યાષ્ટિ” કહેવાય છે, તેને મિશ્રમોહનીય, સીમો), જિનનામ અને આહારક ચતુષ્ક વિના “૧૪૧” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. કારણકે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થયા વિના મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયની સત્તા પ્રાપ્ત થતી નથી. અને જ્યાં સુધી સમ્યકત્વગુણઠાણ અને અપ્રમત્તસંયતગુણઠાણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી | જિનનામ અને આહારકહિક બંધાતું નથી એટલે અનાદિમિથ્યાષ્ટિ જીવને જિનનામ અને આહારક-૪ની સત્તા પ્રાપ્ત થતી નથી. જે જીવો ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી સમ્યકત્વાદિગુણઠાણેથી પડીને મિથ્યાત્વે આવેલા હોય, તે “સાદિમિથ્યાદૃષ્ટિ” કહેવાય. તેઓને સત્તામાં “૧૪૮” કર્મપ્રકૃતિ હોય છે. (૨) ૪ થી ૭ ગુણઠાણે સત્તા :| ગ્રન્થિભેદ ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરનાર ઉપશમસમ્યગૃષ્ટિને ૪ થી ૬ ગુણઠાણે આહારક-૪ વિના કુલ “૧૪૪” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે અને ૭મે ગુણઠાણે આહારકહિક બંધાતું હોવાથી, સત્તામાં “૧૪૮” કર્મપ્રકૃતિ હોય છે. ક્ષયોપશમસમ્યગૃષ્ટિને “૧૪૮” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. અને સાયિકસમ્યક્તીને દર્શનસપ્તક વિના “૧૪૧” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. ' ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ ગુણઠાણે સત્તા :अपुव्वाइ चउक्के अण-तिरि-निरयाउ विणु बियालसयं । સમૂારૂડસુ સત્તામિ રૂ વત્ત સંયમવી | ૨૬ I अपूर्वादिचतुष्के अनन्त-तिर्यंङ्नरकायु विना द्विचत्वारिंशं शतम् । સાવિતુર્ષ સતવાક્ષ પર્વ વેવારિશ શતમથવા / ૨૬ / ગાથાર્થ :- અપૂર્વકરણાદિ-૪ ગુણઠાણે સત્તામાં અનંતાનુબંધીચતુષ્ક, તિર્યંચાયું અને નરકાયુ વિના ૧૪૨ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે અને અવિરતસમ્યત્વાદિ-૪ ગુણઠાણે દર્શનસપ્તકનો ક્ષય કર્યા પછી ૧૪૧ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. અથવા.
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy