SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સયોગીગુણઠાણાના ચરમસમયે (૧) યોગનો (કરણવીર્યનો) નાશ થવાથી આત્મપ્રદેશોની હલન-ચલનરૂપ ક્રિયા અટકી જાય છે તેથી આત્મા મેરૂપર્વત (શૈલેશ)ની જેમ સ્થિર બની જાય છે. (૨) યોગનો અભાવ થવાથી શાતાનો બંધવિચ્છેદ થાય છે. (૩) યોગનો અભાવ થવાથી નામગોત્રની ઉદીરણા અટકી જાય છે. (૪) યોગનો અભાવ થવાથી સ્થિતિઘાતનો નાશ થાય છે. (૫) યોગનો અભાવ થવાથી રસઘાતનો નાશ થાય છે. (૬) યોગનો અભાવ થવાથી શુકલેશ્યાનો નાશ થાય છે. તેથી આત્મા અલેશી બને છે. (૭) સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ધ્યાનનો નાશ થાય છે. ત્યારપછી એ મહાત્મા અયોગીકેવલીગુણઠાણામાં પ્રવેશ કરે છે. | અયોગીકેવલીગુણસ્થાનક જ્યારે કેવલીભગવંતને મન-વચન-કાયયોગ અટકી જાય છે ત્યારે તે “અયોગીકેવલીભગવંત” કહેવાય છે તેમની અયોગીકેવલી અવસ્થાને “અયોગી કેવલીગુણસ્થાનક' કહે છે. તેનો કાળ ૩-ટુ-૩-28-7.. એ પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલો (અંતર્મુહૂર્ત) હોય છે. ૧૪માં ગુણઠાણે અયોગીકેવલીભગવંત શૈલેશીકરણ કરે છે. આ શૈલેશ=મેરૂપર્વત... કરણ=ક્રિયા (કર્મનિર્જરારૂપક્રિયા) અયોગીકેવલીભગવંત શૈલેશી (મેરૂપર્વતની જેમ નિષ્કપ) અવસ્થામાં નામ-ગોત્ર-વેદનીય કર્મની અસંખ્યગુણાકારે કર્મનિર્જરા કરે છે તેને “શૈલેશીકરણ” કહે છે. ૧૪માં ગુણઠાણે અયોગી કેવલીભગવંતને બુચ્છિન્નક્રિયા (સુપરત)-અપ્રતિપાતી નામનું ચોથું શુકલધ્યાન હોય છે. - બુચ્છિન્ન ક્રિયા = સર્વથા શારીરિકાદિ હિરાગીકરીનુણસ્થા - ક્રિયાનું નાશ પામવું. અપ્રતિપાતી = પતનથી રહિત. વિમરૂપરાક્ષગુણસ્થાનક, જેમાં સર્વથા મન-વચન-કાયાદિની અનિવાગા . પ્રવૃત્તિ અટકી ગઈ છે અને ત્યાંથી માગુણસ્થાનક છે પરિણામનું પતન થતું નથી તેને ભુપતક્રિયા-અપ્રતિપાતી , ધ્યાન કહે છે. અંયોગીકલીગુણસ્થાન) ક્ષીણમોહગુણસ્થાન ઉપરશોતમોગુણસ્થાન) અપૂર્વકરણગુણસ્થાન) કેવલીભગવંતશા , , , : 0 5 5 પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિનુણસ્થાનક લખ્યત્વગુણસ્થાનક મિત્રગુણEાનક સારવાદ_ગુણસ્થાન) મિથ્યાત્વગુણસ્થાનકે ૧૪૯
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy