SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક્ષાત્યાનંદ ભવ બંધન, પ્રકરણ સાતમું ૧૬૧ બહેનની તમામ હકીક્ત તેના જાણવામાં આવતાં એના હૈયામાં પસ્તાવાને મહાસાગર ઉછળ્યો. કદરૂપી કહી આજ દિવસ સુધી જેની અવગણના કરી, ધિક્કારી, દુઃખના દરિયામાં ફેંકી દીધી. મારા ફઈ અને દાદીને અગ્નિથી બળી જતા બચાવ્યા. ખરેખર મા તું કેટલી મહાન છે ! દાદી અને ફઈની શીખવણીથી મેં પણ મારી જનેતા માતા-તારી કેટલી હદે અવગણના કરી? ધિક્કાર છે મારા જેવા કુલાંગાર કુપુત્રને? એમ અપાર પસ્તા કરતો બધું એમને એમ જ મુકી હોસ્પીટલ જવા દેટ મુકી. પથારીમાં પડેલી માતાના ચરણોમાં માથું મુકી કમલ ધ્રુસકે ધ્રુસકે રડયો ને બોલ્યો : “મા હું તને મારું કાળું મુખ બતાવવા જે પણ રહ્યો નથી. તે વહાલથી કેટલી વખત બોલાવ્યો, અને છેવટે પરણવા જતી વખતે પણ તું તારા પુત્રને ભેટવા ઈચ્છતી આવી, પણ વીસ વીસ વરસથી હું તે તારું અપમાન જ કરતું આવ્યું. અને આ વખતે તો મેં તારું અપમાન કરવામાં કમીના જ રાખી ન હતી. મા ! હું તો ક્ષમાને લાયક પણ નથી રહ્યો. તું મને મારા અપરાધની ક્ષમા આપીશ ?” આમ બોલતા કમલ એટલો તે હૈયાફાટ ૨૦ કે ત્યાં હાજર રહેલા ડેકટર સહિત તમામ માણસની આંખમાં બેર બેર જેવડાં આસું ઉભરાયાં. પુત્ર કમલને પોતાના ચરણોમાં પસ્તાવા સહિત મુકેલે જોતાં દાઝયાની અકથ્ય વેદના વચ્ચે પણ માતાની આંખોમાં આનંદના આંસુ ઉભરાયા. તે બોલી, “મારા કમલ! મારા કલૈયા કુંવર ? તું બેઠો થા. એમાં તારે કશોએ વાંક ન હતે ભાઈ ! એ તે સત્યની કન્સેટી હતી. તેમાં આજે મેં સફળતા મેળવી છે. મારા ખોવાયેલા પુત્રને મેળવીને મારે જન્મ સફલ થયે માનું છું ! મારા દેહનું ભાવ પૂર્વકનું ૧૧
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy