SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ સાતમું સમર્પણ આજે સિદ્ધ થયું છે. કારણ મારે કિશોર આજે પાછો મારે જ થયો છે! મારે અન્ય કાંઈ જ નથી ખપતું. મારો પુત્ર આજે મને મા કહે છે એટલે બસ છે. દીકરાની આંખમાંથી ગંગા-જમના વહેતા હતા. જનની જોડી સખી, જગે નહી મળે રે લોલ..... એ કવિતા તેને યાદ આવી. અને તે ખુબ રડયો, માડી ! તારાથી મને આઘો રખાવનાર દાદી અને ફેઈના અવગુણને નહી જોતાં તેં બચાવી. તું કેટલા દુઃખમાં પડી. આ તારૂં માનું ચામડું તે આખું બળી ગયું છે. તેની તને કેટલી પીડા થતી હશે ? માતાએ કહ્યું, મને ચંદન ચોપડયા જેવી શીતલતા લાગે છે. કારણ કે આજે મારો દીકરો મને મા કહેતે પાછો મળ્યો છે. મારા સમર્પણની એ જ સિદ્ધિ છે. સાસુના હૈયામાં પણ આજે પસ્તાવાની અપાર વેદના જાગી ઉઠી છે. કમલના હૈયામાં મા પ્રત્યેને દુર્ભાવ પેદા કરાવનાર પિતે છે. અને કાલકા કહી કહીને ઘરની આ લક્ષ્મીનું અપમાન કરવામાં કઈ જ બાકી રાખી નહોતી. જાણી જોઈને તેણીને પજવવામાં બાકી રાખી નહોતી. તેણીના સુખી જીવનમાં આગ ચાંપી મહા દુઃખી બનાવી હતી. છતાં આ ગૃહ લક્ષ્મીએ પોતાના જોખમે પણ પિતાને તથા દીકરીને બચાવી લીધા હતાં. આ સગુણી વહુના હૃદયની ઉદારતાને ધન્ય છે. આમ પશ્ચાત્તાપની અગ્નિથી જલતી સાસુએ વહુના પગમાં પિતાનું માથું મુક્યું ને બેલી, વહુ બેટા ! મેં તારા ગુણની કદર ન કરી. એટલું જ નહીં પણ તને પજવવામાં, દુઃખી કરવામાં કાંઈ બાકી રાખી નથી, ગાળોની ઝડીઓ વરસાવી, તારા પવિત્ર હૃદયને બાળી, તારા પવિત્ર જીવનને મેં ધૂળભેગું કરી દીધું. તને તારા પુત્રથી પણ છેટી રાખી.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy