SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] આથી તેને ખુલાસો કરતાં કહ્યું: “મારા કરેલા પ્રણામ આ મહાદેવ સહન નહિ કરી શકે તેથી તેમને હું પ્રણામ નથી. કરતે.” તે કોણ-કક્યા દેવ તમારે નમસ્કાર સહન કરી શકે તેમ છે?” રાજાએ આશ્ચર્યથી પૂછયું. તેના જવાબમાં શ્રી સિદ્ધસેને આ તેત્રથી શ્રી પાર્શ્વ.. નાથ ભગવાનની સ્તુતિ કરી. તેત્રની ૧૧મી ગાથાની રચના થઈ રહી હતી ત્યાં જ શિવલિંગ ફાટયું અને તેમાંથી. ધરણેન્દ્ર સહિત શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા પ્રકટ થઈ. તેમણે કહ્યું “મારે નમસ્કાર સહન કરી શકે તેવા મારા, ભગવાન આ છે. ” અને સ્તંત્રની રચના પૂરી થયા બાદ જણાવ્યું કે-- તમારા ગામમાં ભદ્રા શેઠાણીને પુત્ર અવંતિસુકમાળ હતો.. અનશન કરીને સમાધિ મરણ પામ્યા હતા. અહીંથી તેને જીવ નલિનીકુલમ વિમાનમાં ગયો હતો. તેમણે પિતાની યાદમાં મહાકાલ નામનું જિનચૈત્ય બનાવી તેમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. થોડા સમય બાદ મિથ્યા દષ્ટિએ એ પ્રતિમાને ભંડારી દઈ તેના ઉપર મહાદેવના લિંગની સ્થાપના કરી. આજ મારી સ્તુતિથી તે પ્રકટ પ્રભાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રકટ થયા છે.” આ જ ઘટના બીજા સ્વરૂપે પણ જાણવા મળે છે. તેમાં શ્રી સિદ્ધસેન શિવલિંગ પર પગ મૂકીને સૂતા હોય છે. આથી,
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy