SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮] રા ર મ પ્રાણ મારમાં મતિ નૌતમ / ઠ. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૧૧ રહું તે આમ સમાધિમાં બેસવું કિંવા ઊધ લેવી એ પણ એક પ્રકારની ક્રિયા થઈ કે નહિ ? વાસ્તવિક રીત તો કર્મેન્દ્રિયો વડે કોઈને કોઈ દિયા વગર દેહધારી જંપીને કદી બેસી શકતો નથી પછી તે ક્રિયા ગમે તે પ્રકારની હોય. દેઈ હાથ ઊંચા કરવાની ક્રિયા કરશે તો કઈ નીચે પડી રહેવાની કિંવા કેઈ બીજા કે પ્રકારે ક્રિયા કરશે પરંતુ તે સર્વે ક્રિયાઓ જ ગણાય, ખરું ને? તે જ પ્રમાણે બીજી કમેંન્દ્રિયો સંબંધે પણ સમજવું, આમ હોવા છતાં કોઈ કહે કે હું તે કર્મેન્દ્રિયની તમામ ક્રિયાઓને ત્યાગ કરું છું, તે પડ્યું તે માનસિક સંક૯પવિક કરી માનસિક ક્રિયાઓ તે કર્યા જ કરે છે, આ રીતે જયાં સુધી શરીર હોય ત્યાં સુધીને માટે કોઈને કોઈ પ્રકારની ક્રિયાઓ થતી જ રહે છે. હાથની ક્રિયા બંધ હોય તો પગની અને પગની બંધ હોય તે કાનની અથવા છેવટે મનના સંકલ્પવિકલ્પ તો ચાલુ જ હોય છે કિંવા સુષુપ્તિમાં એટલે કાપાષણાદિ જેવી જડ અવસ્થામાં પણ પડી રહેવા ૩૫ કિંવા છતર કોઈ પ્રકારની ક્રિયાઓ તે ચાલુ હોય છે. આવી ક્રિયાઓનો તન અવશેષ સુદ્ધાં ન રહે એટલે બિલકુલ ક્રિયાઓથી રહિત બને એ તો દેહાભિમાનના નિશ્ચયવાળાને દેહ હોય ત્યાં સુધીને માટે કદી પણ શક્ય જ નથી, પછી તે સ્થૂળદેહ હે, સૂક્ષમ (લિંગ)દેહ હા યા કારણ દેહ હા, આ ત્રણે દેહમાં કોઈને કોઈ પ્રકારની ક્રિયાઓ તો થતી જ ર સ્થળ દેહમાં કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયની ક્રિયાઓ થતી જોવામાં આવે છે, અમદેહમાં મનની ક્રિયાઓ થતી રહે છે અને કારણ દેહમાં તો જડતારૂપ એટલે હું કાંઈ જાણતા નથી એવી ક્રિયા થતી રહે છે. તાત્પર્ય એ કે, “હું” અમુક જાણું છું એમ કહેવું એ જેમ એક પ્રકારની ભાવાત્મક ક્રિયા છે તેમ “હું” કાંઈ જાણતો નથી એવા પ્રકારની અવસ્થા એ પણ એક ભાવાત્મક ક્રિયા જ છે. આ ક્રિયાઓની સમસ્યા વાસનાવશાત દેહ ધારણ કરનારા જીવાત્માને લાગુ પડે છે એટલે આ ક્રિયાઓ દેહ કરે છે એમ નહિ પરંતુ અનેક વાસનાઓવશાત દેહ ધારણ કરનારે જીવાત્મા કરે છે. તેથી ક્રિયા કરવાને આરેપ છવાત્મા ઉપર કરવામાં આવે છે, આથી જ્યાં સુધી હું દેહ છું એ તેને નિશ્ચય હોય ત્યાં સુધીને માટે તે દેહાભિમાનીઓથી ક્રિયાઓનો ત્યાગ કદી પણ સંભવતા નથી. આ સંબંધે ઉપર પણ સંક્ષેપમાં વિવેચન આપેલું છે તેમજ પ્રથમ ૫ણ વખતોવખત જણાવેલું છે (જુઓ અધ્યાય ૩ ક૩) બાહ્ય ક્રિયાઓની દષ્ટિએ જે વિચાર કરવામાં આવે તો જ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની ક્રિયાઓ દેખવામાં તે એક સરખી જ હોય છે. જેમ જ્ઞાનીઓ પણું નેત્ર વડે જવાનું કામ કરે છે ત્યારે અજ્ઞાનીઓ પણ જોવા માટે નેત્રનો જ ઉપયોગ કરે છે. આ રીતે મેં વડે બોલવું, પગ વડે ચાલવું વગેરે વ્યવહારો જ્ઞાની અને અજ્ઞાનીઓમાં એક સરખા હોવાનું નજરે પડે છે, પરંતુ વાસ્તવિક જ્ઞાનીઓનો નિશ્ચય આત્મ૨૫ હોવાને લીધે તેમની તમામ ક્રિયાઓ પણ આભા૫ જ હોય છે, તેમની ક્રિયાઓ કર્મબંધનરૂપ કહી શકાતી નથી, પરંતુ જેઓને હું દેહ છું એવો નિશ્ચય હાય તેમની થતી ક્રિયાઓ જ કર્મરૂપ કહેવાય છે. તેથી જ્ઞાનીના ચિત્તને સર્વ કહે છે અને તેમની સર્વ ક્રિયાઓને સત્તા સામાન્ય કહે છે તેમની થતી બધી ક્રિયાઓ અક્રિયારૂપ છે. આ ન્યાયે જ અજ્ઞાનીઓને માટે કેવળ બાહ્ય ત્યાગને સાચો ત્યાગ નહિ પરંતુ કર્મફળ ત્યાગને જ સાચો ત્યાગ કહે છે. આ સંબધે શાસ્ત્રનો નિર્ણય કહું છું. દેહ હોય ત્યાં સુધી પ્રારબ્ધ ઓળંગી શકાય નહિ જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સમાન ચિત્ત રાખીને, નિર્વિકાર અવસ્થામાં રહી આત્મસાક્ષાત્કાર થયેલા જે જ્ઞાનીઓ વ્યવહાર કરે છે તેનું બહુમાનસ એવું નામ છે. જેઓ તને નહિ જાણવાથી જ અજ્ઞાનને લીધે સ્વભાવ વડે જ નિયત કરાયેલી દેહની અવસ્થાઓથી ભયભીત બનીને બેયને સમજયા સિવાય અજ્ઞાનને લીધે બાહ્ય કર્મત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે તેઓને સાચા કર્મયાગનું ફળ મળતું નથી, જ્યાં સુધી તલ હોય ત્યાં સુધી તેમાં તેલ હોય છે જ તેમ જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી તેનાં નિયતિનિયમાનુસાર પ્રારબ્ધવશાત નિયત થયેલા કર્મેન્દ્રિયના બાહ્ય વ્યવહારો ચાલુ જ હોય છે. હું તે ક્રિયાઓ નથી કરતો એમ જે કઈ જેવા માગે છે તે તલવાર વડે આકાશને છેદવાને પ્રયત્ન કરે છે, એમ સમજવું. સર્વ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy