SearchBrowseAboutContactDonate
Page Preview
Page 954
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] (જે) આત્મસ્વરૂપ (વા છતાં) મરણને પ્રાપ્ત થાય છે (એમ અજ્ઞાનથી ભાસે છે.) [ ૮૨૫ આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા પ્રકારના પગ વડે ચિત્તની સમાનતા રાખી કરવું અને નહિ કરવું એ બંને બાબતેનો દુરાગ્રહ છોડી દઈ, આત્માના અપરોક્ષ અનુભવથી સિદ્ધ એવી નિર્વિકાર દશાથી નાટકમાંના નટની જેમ અનાયાસે યથાયોગ્ય સમયે જે જે વ્યવહાર પ્રાપ્ત થાય તે અસંગ રીતે અહમ ભાવ વગર યંત્રવત પુર્વપ્રારબ્ધાનુસાર કર્યા કરવા, તેવા વ્યવહાર વડે સુખ કિંવા દુઃખ ગમે તે થાય તેને પણ વિચાર છડી પોતે અંતરમાં તે સમાન જ રહેવું. આ રીતે શાંતચિત રહેવું એ જ ખરો ત્યાગ છે. બાકી કમેંદ્રિયો તરફ ચિત્તની સ્થિતિ રાખી તેને હઠ વડે રોકવાનો પ્રયત્ન કરવો એટલે મનમાં અનેક વિષયોનું ચિંતન કરવું અને ઉપરથી ઇક્રિયત્યાગને માટે હઠ કરવી એ દેહ દશા સંબંધી દુઃખોના ત્યાગને સાચા ઉપાય નથી. જ્ઞાની પુરુષે પણ પિતાનો દેહ રહે ત્યાં સુધીને માટે અંતરમાં આત્માકાર વૃત્તિ રાખી ઉપરથી કેવળ કમેં દ્રિય વડે સદાચારને અનુસાર વ્યવહાર કરતા રહેવું પરંતુ મન વગેરે ઇન્દ્રિયોથી હર્ષશોક વડે વિકારવાળા કદાપિ થવું નહિ. બ્રહ્માથી માંડી સર્વ જીવન્મુક્ત પુરુષોએ પણ નિયતિનિયમાનુસાર દેહ સંબંધી પ્રારબ્ધથી પસવ્યવહાર કર્યો કરવો. એવો જ દેવ એટલે પ્રારબ્ધ કિંવા નિયતિને નિશ્રય છે. અજ્ઞાની છો અને જ્ઞાની મહાત્માઓ ઈત્યાદિ જે જે કાંઈ આ દસ્યાદિ (વૃક્ષાંક ૩ થી ૧૫ વ)રૂપે રહેલું જોવામાં આવે છે તે સર્વ જેમ નદીનું જળ સમુદ્ર તરફ જાય છે તેમ દેવ તરફ જ જાય છે. તાત્પર્ય કે, મિથ્યા ભ્રમ વડે ભાસતી તમામ દશ્યજળ(વૃક્ષાંક ૩ થી ૧૫ દેવને અધીન છે(પ્રારબ્ધને માટે અધ્યાય ૩-૪-૫-૧૧-૧૫ ઇત્યાદિ જુઓ.) જ્ઞાની પુરુષોનો વ્યવહાર અંતઃકરણમાં સમાન અને નિર્વિકાર અવસ્થામાં યંત્રની માફક અનાયાસે જ થતું રહે છે. આમ દેહ હોય ત્યાં સુધી તેમના વ્યવહાર પ્રારબ્ધવશાત ચાલુ હોય છે. ભેદ એટલો જ કે અજ્ઞાની પુરુષ પ્રારબ્ધ પ્રમાણે દશા આવી પડતાં હદયમાં ખેદને પામે છે તેથી તેમને જે સુખદુઃખ આવી પડે તેમાં તે આકુળવ્યાકુળ બની જાય છે અને અનેક પ્રકારનાં જન્મમરણાદિ દુ:ખો જેમાં રહેલાં છે એવા હજારો દેહ ધારણ કરવામાં કારણભૂત એવા કર્મો જ તેઓ કર્યા કરે છે, તેથી તેમનું પ્રારબ્ધ પણ વાસનાવશાત વખતેવખત બદલાયા કરે છે. હે સૂર ! અમુક પ્રાણીએ અમુક જન્મમાં અમુક પ્રકારે સુખમાં રહેવું અને અમુક પ્રકારે દુઃખમાં રહેવું એવું જે કાંઈ છએ વાસનાવશાત અને પોતાના કર્મો અનુસાર, પિતા પોતાના લલાટ એટલે પ્રારબ્ધમાં લખેલું છે, તે નિર્માણ થયેલા પૂર્વ પ્રાબ્ધવશાત જ તેને વ્યવહાર કરવો પડે છે એટલે જ્ઞાની હે યા અનાની છે પરંતુ દેહ હોય ત્યાં સુધીને માટે નિયતિ કિવા પ્રારબ્ધ કદી ૫ ઓળંગી શકાતું નથી. જ્ઞાનીઓને માટેનું આ વિવેચન વ્યવહારદષ્ટિએ સમજાવવા પૂરતું જ કહેવામાં આવેલું છે. કર્મનું બીજ અને કર્મફળ કેને કહેવું હે બુદ્ધિશાળી ! કર્મનું મુખ્ય બીજ ચિદામાસવડે કહેવાનું વચેતન્ય જ છે. જીવપણું હેય તે જ આ મોટી શાખાઓ તથા ફળકલવાળું મમાદિ ભાવો વડે પ્રતીત થનારું સંસારવૃક્ષ ઊગી નીકળે છે. એટલે મહાપ્રાણ(રક્ષાંક ૬) અહંકારાદિમાં મળી જઈ તેમાં આત્મરૂપતા એટલે પોતાપણું માની લે છે અને નિસંગ આત્મામાં અનાદિ અવિદ્યા ૨૫ ભ્રમવડે રફરેલા મિથ્યા રપ હુર(વૃક્ષાંક ૩)ને લીધે નિયત થયેલી ઈશ્વર(વૃક્ષાંક ૨)ની કાળરૂપ ઈક્ષણશક્તિ વડે આ માયાના સત્ત્વ, રજ, તમ આદિ ગુણેમાં અવિદ્યાના સંસ્કારથી ઊઠેલાં “હુરૂપ સ્કરણ તથા હું કર્તા અને આ અમુક છે, હું અમુકરૂપ છું, હું અમુક કરું છું, ઇત્યાદિ નામરૂપવાળી ભાવનાઓ વડે જે તે જીવાત્મા બંધાઈ જાય તો તે કર્મના બીજરૂપ થાય છે એટલે જે તે હું અને મારુ” એવા ભાવ વડે બંધાઈ જાય છે તે ભાવ જ કર્મના બીજરૂપ કહેવાય મિથ્યા માયાના ચક્કરમાં ફસાઈ વાસનાવશાત વિશટ, સમષ્ટિ અને વ્યષ્ટિ ઇત્યાદિ અનંતાપે બને છે. આ સર્વ દશ્યજાળ જીવાત્માના તેવા તેવા પ્રકારના ભ્રમનું જ ધોતક છે, પરંતુ જે તે પિતાના શુદ્ધ સ્વરૂપને ઓળખી લે એટલે હું આત્મા છે અને તેમાં હું કિવા મારું ઇત્યાદિ ભાવ તે કંઈ છે જ નહી એવા મૂળ સ્વરૂપને ઓળખી લે તો પછી તે પરમપદ૫ જ બની જાય છે. આમ હું એ અહંકાર ધારણ કરવાથી તે ચિદાભાસ (જીવાત્મા) ૨૫ બને છે તથા “હ નો વિલય કરી સ્વરૂપમાં રિથતિ કરે છે ત્યારે તે ચિદાકાશ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy