SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદોહન અને તેનુ બહુ બહુ મનન કરવા છતાંએ તે જાણી શકાય તેવું નથી, [ ૪૭૩ રહી નીચેના (દક્ષિણ) માગે તે પાછા આવે છે, (૧) આકાશમાંના અભ્ર (વાદળાં)ને પ્રાપ્ત થઈ ખાદ (૨) મેત્રરૂપ, પછી (૩) વરસાદરૂપે વરસે છે, ત્યાર બાદ (૪) વ્રીહિ (ચેખા વગેરે), જવ, તલ, માષ (અડદ વગેરે કઠોળ), ઔષધિ, વનસ્પતિ ઇત્યાદિમાંથી અ ંતે (૫) વી` અને રેતરૂપે બની ફરીથી જન્મના ચક્કરમાં આવે છે ' नैते स्रुती पार्थ जानन्योगी मुह्यति॒ कश्चन । तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥२७॥ ' वेदेषु य॒ज्ञेषु तप॑सु चैव दानेषु य॒त्पुण्य॒फल॑ प्रद्द्ष्टम् । , अत्येति त॒त्सर्व॒मिदं विद॒त्वा योग पर्ं स्थान॒मुपैति चा॒द्यम् ॥२८॥ અને માર્ગનું રહસ્ય જાણનારો માહ પામતા નથી શ્રીકૃષ્ણ ભગવાન કહે છેઃ અર્જુન! એક ફ્રી ફરીથી જન્મમાં લાવનાર તથા બીજો મેાક્ષમાં લઈ જનાર આ રીતે બને સુતી માર્ગોનું રહરય જાણનારા યેાગી કદી પણ મેાહુ પામતા નથી. એટલે જે આ બંને માર્ગ આત્મારૂપ છે, એ રીતનું સાચું રહસ્ય સારી રીતે જાણે છે તે ફરી ફરીથી જન્મમાં નાખનારા માનું અવલંબન કદી પણ કરતા નથી. માટે તને વારંવાર કહી રહ્યો છું કે, તું આ પ્રકારને ચેગયુક્ત થા, એટલે કે તુ પે।તે આત્મસ્વરૂપ છે તથા આ સ`પણુ આત્મરૂપ છે એવા પ્રકારના. યાગમાં કિવા તેા હું કૃષ્ણે નહિ પરંતુ આત્મા (વૃક્ષાંક ૧) છું તથા આ સર્વ આત્મરૂપ એવા મારું જ સ્વરૂપ છે એવા પ્રકારના યાગમાં સર્વાંકાળમાં ( નિત્યપ્રતિ ) સ્થિત થઈ જા. હું પાથ ! તારા પ્રશ્ન પ્રમાણે તને તત્ બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ, ક્રમ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, આ દેહમાં તમે! એવા ક્રાણુ છે। તથા મરણ સમયે ચિત્તને નિયમમાં રાખનારાઓને તેવા સર્વાત્મભાવરૂપ તમા શી રીતે જાણુવા યાગ છે. પ્રત્યાદિ સ` કહી સંભળાવ્યું, ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! મેં તારા પ્રશ્નોના ઉત્તરા કહ્યા. તે ઉપરથી તેનું સાચું રહસ્ય તારા જાણવામાં આવ્યું તે? કેમકે આ સર્વ જાણીને વેદોમાં, યજ્ઞામાં, તપમાં તથા દાનેામાં જે ફળ મૂળવાનું શાસ્ત્રમાં નિર્દિષ્ટ થયેલું છે, અર્થાત્ શ્રુતિશાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મના મુખ્ય ત્રણ વિભાગે છે. આ દરેક વિભાગને કધ કહે છે. પ્રથમ સ્ક ંધ કે જેમાં (૧) યજ્ઞ (ર) અધ્યયન (વૈવિદ્યા) અને (૩) દાનનેા સમાવેશ થાય છે. બીજા કંધમાં તપ તથા તૃતીયસ્ક ધમાં બ્રહ્મચારીએ ગુરુને ઘેર વિદ્યાભ્યાસને માટે રહેવું; આ મુજબ ધના જે ત્રણ વિભાગે છે, તેનું આચરણ કરવાથી જે પુણ્યદ્મળની પ્રાપ્તિ થવા સંબધમાં શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે તે તમામ ફળને આ સર્વને એક આત્મરૂપે જાણ્નારા યેાગી તત્કાળ ઓળંગી જાય છે. એટલે કેં તે આત્મપ્રાપ્તિ સિવાય બીજા કાઈ પણ ફળપ્રાપ્તિની કદી ઇચ્છા જ કરતા નથી, કેમકે તે કરતાં શ્રેષ્ઠ એવું પ્રાપ્ત કરવા યાગ્ય ખીજું કાંઈ પણુ નથી. આ રીતે તમામ કામ્ય કર્માંના પાશમાંથી છૂટેલા યેાગી સથી પર આવેલું આત્મ કિવા તત્ (વૃક્ષાંક ૧) રવરૂપ એવા આદ્યસ્થાનને પામે છે. તાપ, આત્મસ્વરૂપને જાણનારાં શ્રેષ્ઠ એવા પરમ સ્થાનને છેાડી બીજા કાઈ સ્થાનની પ્રાપ્તિની ઈચ્છા શી રીતે ધરાવી શકે ? શુદ્ધ અને સ્વચ્છ પાણીનું સરાવર જોયા પછી માલન એવા ખામેચિયાનું પાણી પીવાની ખ્રુચ્છા કાને થાય? પચ પકવાનતા થાળ પાસે આવ્યા પછી ખીચડીનું સેવન કાણુ કરશે ? ૧ જુએ છાંદાગ્ય ઉપનિષદ્ દ્વિતીય પ્રપાઠક ખંડ ૨૩,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy