SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ - - w - - - - - - ૪૦૨ ] અમિષ્ટાન્ડર્ષતિમોહન [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અવે હ૪ પિતાની ઇરછા હોય ત્યાં સંચાર કરવાની ઈચ્છા થઈ ત્યારે બે પગ ઉત્પન્ન થયા, તે સાથે તેના અધિષ્ઠાતા દેવતા યજ્ઞસ્વરૂપ એવા વિષ્ણુ પોતે જ રહ્યા. ચલનશક્તિરૂ૫ ઇંદ્રિય ઉત્પન્ન થઈ અને જે દ્રવ્ય મનુષ્ય ચાલવાથી મેળવી શકે છે એવો હું તે દ્રવ્યરૂપ વિષય ઉત્પન્ન થયે. ચાલવાની ક્રિયા ચલનશક્તિરૂ૫ ઇંદ્રિય ( ગતિ ) એ તેના દેવતા વિષ્ણુને આશ્રયે છે. તેને પજા, પ્રીતિ અને સ્વર્ગ આદિની ઇચ્છા થતાં યાનિસ્થાન સહિત ગુહ્ય ઇકિય ઉત્પન્ન થઈ. તેના દેવતા પ્રજાપતિ થયા. તે બે વડે કામ સંબંધી સુખ થાય છે, તેથી રતિ એ તેનો વિષય થયો. તેને મળત્યાગની ઇરછા થતાં પાવું ઇકિય સહિત ગુદાસ્થાન ઉત્પન્ન થયું અને તેના દેવતા મિત્ર થયા. તે બંનેના આશ્રય વડે જ મળ ત્યાગ થતો હોવાથી એ જ તેનો વિષય કહેવાય છે. જ્યારે તેને એક શરીર છોડી બીજું શરીર ગ્રહણ કરવાની એટલે મરણની ઇચ્છા થઈ ત્યારે નાભિરૂપ ધાર ઉત્પન્ન થયું તથા અપાન વાયુ અને મૃત્યુ એ તેના દેવતા થયા. આ વિરાટ સ્વરૂપના અભિમાની (સાક્ષી) ભગવાન વા ઈશ્વર(ક્ષાંક ૨ )ને અપાનાદિ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ ત્યારે તેને પેટ, આંતરડાં તથા નાડીઓ ઉત્પન્ન થઈ. તે પછી નાડીની દેવતા નદીઓ થઈ અને પેટ તથા આંતરડાના દેવતા સમુદ્રી ઉત્પન્ન થયા. જેમ નદીઓ અને સમુદ્રને મળે છે તેમ તમામ નાડીઓ અંતે પેટ અને આંતરડાઓને જ મળે છે અને એ બંને વડે ભરણપોષણ થાય છે (વૃક્ષ આ વૃક્ષાંક ૮ ના પેટાના તમામ ભાવો જુઓ). વિરાટ અભિમાની ઈશ્વર(વૃક્ષાંક ૨)ને પિતાની આ વિરાટ માયાનું ધ્યાન કરવાની એટલે માયાના ત્રણ ગુણો વડે ઉત્પન્ન થયેલી આ પિતાની માયાશકિત વડે પિતાનું જ વિરાટ સ્વરૂપ જાણવાની ઈચ્છા થઈ ત્યારે તેને અંતઃકરણ વા હદયકમળ ઉત્પન્ન થયું, જેને મહત્તત્ત્વ પણ કહે છે (ક્ષાંક ૭ જુઓ). તે પછી અહંકાર અને તેના દેવતા (વૃક્ષાંક ૮), બાદ મન (વૃક્ષાંક ૧) તેના દેવતા ચંદ્રમા તેનો વિષય સંક૯૫ તથા તજજન્ય અનેક કામનાઓ રૂપ વિષય ઉત્પન્ન થયા. રસ, રક્ત, માંસ, મેદ(ચરબી), અસ્થિ(હાડકા), મજ્જા અને શુક્ર એ સાત ધાતુઓ પૃથ્વી, જળ અને તેજનાં કાર્યો છે. પ્રાણ એ આકાશ, જળ અને વાયુથી થયેલો છે. (વૃક્ષાંક ૧૪ થી ૧૫ર સુધીનો વિસ્તાર માં આવી જાય છે). ઈદ્રિય વિષય તરફ દોડનારી છે તથા શબ્દ સ્પદિ વિષયનું સુંદરપણું વાસ્તવિક રીતે તેવું નથી છતાં અહંકાર વડે જ કપેલું છે. સર્વ વિકારનું આદિકારણ તે ફક્ત મન જ છે. બુદ્ધિને જે વસ્તુ જે જે રૂપે જણાય તેવે તેવે રૂપે તે દરેક વસ્તુને નિશ્ચય કરનારી હોવાથી બુદ્ધિ વસ્તુના ખરા સ્વરૂપને જ ગ્રહણ કરી શકે છે એમ કહી શકાય નહિ, પરંતુ તે તો ગમે તેવું સ્વરૂપ પણ કલ્પી લે છે. કારણ તથા કાર્યરૂપ વિરાટ ભગવાન કહે છે. આ રીતે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર મળી આઠ કારણરૂપ આવરણેથી વીંટાયેલું મારા પૂબ વિરાટ સ્વરૂપનું વર્ણન જ દરેક શાસ્ત્રમાં છે (બીજા કં. ૨, અ૦ ૧૦, શ્લ૦ ૧૫થી ૪૯ જુએ). આ જ મારી અપરા પ્રકૃતિ કહેવાય છે (જુઓ વૃક્ષાંક થી ૧૫). આ અપરા પ્રકૃતિમાં બે પ્રકારે છેઃ (૧) કારણરૂપ વિરાટ તથા (૨) કાર્યરૂ૫ વિરાટ જેને સમષ્ટિ પણ કહે છે. આ પિકી તને કારણરૂપ એવા મારા વિરાટ સ્વરૂપની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે અત્યાર સુધી વિસ્તર સમજાવવામાં આવ્યું. હવે હું તને મારું કાર્યરૂપ સમષ્ટિ વિરાટ સ્વરૂપ સમજાવું છું. તે બીજો ભેદ વાસ્તવિક રીતે તો પ્રથમના ભેદમાં જ અંતર્ગત છે, પરંતુ તેને સારી રીતે સમજવામાં આવે એટલા માટે સ્પષ્ટીકરણ સહિત સમજાવીને કહું છું, તે તું હવે ધ્યાન દઈને સાંભળ. છવભૂત પ્રકૃતિ કોને કહેવી ? આ બ્રહ્માંડ એ તે એક કાર્ય છે; તેથી તેને કર્મ, વિસર્ગષ્ટિ, સમષ્ટિ વા કાર્યરૂપ વિરાટ પણ કહેવામાં આવે છે, તે કાર્ય જે કારણુતોના આશ્રયે બનેલું છે તે કારણુતરોનું વર્ણન ઉપર આપવામાં હાપ્રાણથી હિરણ્યગર્ભ વૃક્ષાક થી ૧૨) સુધીનાં તત્ત્વો એ કારણવિરાટ અને પ્રકૃતિથી અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૩થી ૫) સુધીનાં તત્ત્વને મહાકારણરૂપ વિરાટ એવું નામ આપેલું છે. આ કાર્ય કિવા - - - - - - ,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy