SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ]. ભૂલકમાં રહેનાર મૃત્યવશ એ ક માનવી [ ૪૦૨ એવા એ દેવરૂપ સમર્થ ઈશ્વર (વૃક્ષાંક ૨) “જેરું થઈ ગત ” એક એવો “હુ” જ અનેકરૂપે થાઉં, એમ જુદે જુદે રૂપે થવાની ઈચ્છાથી ગશયામાંથી બાહ્યવૃત્તિ લાવીને પોતાના તેજોમય (પ્રકાશરૂપ) દેહને કાળના ક્ષોભ વડે માયા (વૃક્ષાંક ૩) એ કરીને પ્રથમ સત્વ, રજ, અને તેમના મિશ્રણરૂપ અવ્યક્ત (૨ક્ષાંક ૪) તથા ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિયુક્ત પ્રકૃતિપુરુષ (વૃક્ષાંક ૫) અને તેમાંથી મમ એવા જીવે અથવા મહાપ્રાણ (વૃક્ષાંક-૬,રૂપે વિકાસને પામી ક્રમે ક્રમે મહત્તત્ત્વ (ક્ષાંક ૭) અને પછી અહંકાર (વૃક્ષાંક ૮)રૂપ થયો અને ત્યારબાદ અહંકાર સ્વરૂપ બનેલો તે ઈશ્વર જ અનુક્રમે અધિદેવ (વૃક્ષાંક ૬), અધ્યાત્મ (વૃક્ષાંક ૬) તથા અધિભૂત (ક્ષાંક ફ્ર), એમ અહંકારના ત્રણ પેટાભેદે વડે વિભાગાયો છે. હવે એક એ તે પુરુષ(ક્ષાંક ૨)૨૫ ભગવાનને આ વિરાટ દેહ ત્રણ પ્રકારે ક્ષોભને શા માટે પામ્યો તે સાંભળો. ક્રિયાશક્તિ (રક્ષાંક શું )એ કરીને નાના પ્રકારની ચેષ્ટા કરતો એવો તે પુરુષ (વૃક્ષાંક ૨)જ જેમ પાણીથી બરાક બને, તેમ આત્મા કિંવા ચિદાકાશ એવા પોતે પોતાના મૂળ સ્વરૂપમાં ફેરફાર નહિ થતાં તેમાં જ ઇંદ્રિયશક્તિ, મનની શક્તિ અને દેહની શક્તિરૂપે વિવર્તભાવે ઉત્પન્ન થયો છે. તે પછી આ સર્વ શક્તિથી યુક્ત એવું અર્ધનારીનટેશ્વર નામનું સ્મ સ્વરૂપ (ક્ષાંક ૫) થયું. તેમાંથી મૂત્રાત્મા નામનો મુખ્ય કે મહાપ્રાણ (2ક્ષાંક ૬) ઉત્પન્ન થશે. તે જ આ સૃષ્ટિમાં સર્વને પ્રાણું છે. આ બધા સમષ્ટિવ્યષ્ટિ ભેદો પણ ઘટાકાશ મહાકાશની જેમ તેના વડે જ ભાસી રહ્યા છે, જેમ રાજાના ચાકરનો સર્વ વ્યવહાર રાજાને અધીન હોય છે, તેમ સર્વ પ્રાણીમાત્રમાં આ મહાપ્રાણને લીધે જ ઇકિય સર્વ પ્રકારની ચેષ્ટાઓ કરે છે અને તેના વિના ઇંદ્રિયોની તમામ ચેષ્ટાઓ બંધ પડી જાય છે. | સર્વને ચલાવનારા આ મહાપ્રાણ વા સૂત્રાત્માને લીધે મૂળ વિરાટ વા અપરસ્વરૂ૫ (ાંક ૭થી૧૫ શોમાં સુધા અને તૃષા આદિ ઉત્પન્ન થયાં, તે પછી પિપાસાવાન (તરસ્યા) અને સુધાવાન (ભૂખ્યા) તે વિરાટને પ્રથમ મુખ ઉત્પન્ન થયું, મુખથી તાલુ, તાલુને વિષે જિ ઇંદ્રિય ઉત્પન્ન થઈ તે પછી જિવાથી જાણી શકાય એવા નાના પ્રકારના પારૂપ વિષય ઉત્પન્ન થયા અને તેના દેવતા વરુણ થયા, બોલવાની ઇચ્છા થવાથી તે વિરાટના મુખથી અમિદેવ, વાણી નામની ઈદ્રિય તથા બેલવું એ તેને વિષય થયો. અગ્નિદેવતા હોય તો જ વાણીથી શબ્દોચ્ચાર થાય છે તે વગર થતો નથી. તે સંબંધી વ્યવહારમાં દરેકને સ્પષ્ટ અનુભવ છે કે, જે વખતે મનુષ્ય પાણીમાં ડૂબેલો હોય છે તે વખતે અંદર વાણી ઈકિય હેવા છતાં પણ અમિ અને પાણી બંનેના વ્યવહારમાં પરસ્પર વિરુદ્ધ ધર્મ હોવાથી શબ્દોચ્ચાર થઈ શકતો નથી. ત્યાર પછી વિરાટ શરીરમાં પ્રાણવાયુ અતિશય ચંચળ થવાથી બહાર નીકળવાની જગા શોધવા લાગ્યો, તેથી બે નાસિકાના ગેલ થયા. ગંધને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા વિરાટ પુરુષની નાસિકામાં ગંધવિષય સહિત વાયુ દેવતા અને પ્રાણ એવા નામની ઈક્રિય થઈ જ્યારે દેહને દેખાતું ન હતું ત્યારે પોતાના દેહને તથા બીજા બહારના પદાર્થોને જોવાની ઇચ્છાથી તે વિરાટને બે નેત્રરૂ૫ બે ગોલકે ઉત્પન્ન થયા અને તેમાં સૂર્યદેવતા થયા, ચક્ષર૫ અંકિય અને તેનો ૨૫ વિષય થયો. વેદવાક વડે પોતાના બોધને શ્રવણ કરવા ઇચ્છતા એવા વિરાટ પુરુષને બે કાનર૫ ગોલકે ઉત્પન્ન થયા, તેમાં દિશા નામની દેવતા, શ્રોત્ર ઈદ્રિય અને પ્રહણ થઈ શકે એ શબ્દ વિષય થયો. પદાર્થનું કમળપણું, કઠેરપણું, ભારેપણું, ઉષ્ણપણું અને ઠંડાપણું વગેરે જાણવાને ઇચ્છતા એવા તે વિરાટ પુરુષને ત્વચા પેદા થઈ, તેમાં લોમ (વફ) ઈદ્રિય તથા વૃક્ષ નામનો વાયુ દેવતા થયા, તે વાયુ ત્વચામાં અંદર અને બહાર રહેલ હેવાથી ત્વચા દ્વારા સ્પર્શ એ ગુણને જાણી શકાય છે. વિરાટ પુને અને કેમ કરવાની ઇચ્છા થઈ તેથી તેના બે હાથ ઉત્પન્ન થયા અને બળ ઈદ્રિય તથા અંદ્ર એ તેના દેવતા ઉત્પન્ન થયા. ગ્રહણ કરવું એ વ્યાપાર ઇંદ્ર દેવતાને આશ્રયે છે. તેને અભિષ્ટ સંચારની એટલે મરછ અનુરૂપ • અત્રેથી જે વર્ણન શરૂ થાય છે તે સાવ સામાન્ય સમને (૧) મૂળ કારણ૩૫ વિરાટમાં પ્રથમ દેવતા પછી શબ્દતિ તત્માવા, તેના વિ અને ઈદ્રિય એ પ્રમાણે ઉત્પત્તિનો ન્યૂમ અથત વડે તેમ છે અને (૨) મૂળકાયં૫ જિરાતમાં પ્રથમ ઇદ્રિય જળ તેને વિષય અને દેવતા એ કમે ઉત્પન્ન થાય છે. વણાંક ૭ થી ૧૨ મરણપ વિરાટ તથા માં ૧૦ થી ૧૫ છે કાયાપ વિરહ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy