SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાસાહન ] તેથી બ્રહ્મને ઉપાસનારાઓનું જે ઉપાસ્ય તે બ્રહ્મ નથી, તે સાક્ષીત્વથી પર છે. [૧૧૯ બીજની ઉત્પત્તિ થવા પામે છે. આને જ પુરાણાદિ શાસ્ત્રોમાં પ્રાકૃત છેલ્લી એટલે છઠ્ઠી સષ્ટિ વિષ્ણુને નાભિકમળ વા હિરણ્યગર્ભ પણ કહે છે. કામ, કર્મ વા વિસર્ગ સુષ્ટિની ઉત્પત્તિ વૃક્ષાંક (૧૩) તેરની સમજૂતી તથા પર્યાય સંજ્ઞાઓઃ હિરણ્યગર્ભમાંથી સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવની ઉત્પત્તિ થવા પામે છે. જેમ દરેક મનુષ્ય પોતે હું દેહ છું એવું અભિમાન રાખે છે કિંવા આ મારું ઘર છે એવું ઘર ઉપર અભિમાન રાખે છે, તેથી તે દેહ કિંવા ઘરનો અભિમાની કહેવાય છે, તેમ સમષ્ટિને અભિમાની બ્રહ્મદેવ છે. આ બધો સમષ્ટિ એ તેને દેડ છે. અત્યાર સુધી થયેલી સૃષ્ટિ તે ફક્ત ઈશ્વરની કાળરૂપ ઈક્ષણશક્તિ વડે જ ક્રમે ક્રમે વિવર્તભાવને પામેલી છે. તેમાં બીજી કોઈ ક્રિયા ન હતી. જેમ કેઈ દડો નીચી જમીન તરફ ગબડાવવો હોય તો તેને ફક્ત એક જંક મારવી જ બસ થાય છે, તેટલા વડે જ તે ગડગડતે નીચે જાય છે અને વચ્ચે ક્યાયે અટકતા નથી, તેમ તેને માટે બીજી કઈ ક્રિયા પણ કરવી પડતી નથી; પરંતુ તે જ્યાં અટકે છે, ત્યાંથી તેને ઉઠાવીને વળી પાછો ફેંક પડે છે અર્થાત તેને ક્રિયાની જરૂર હોય છે, તેમ આ ઈશ્વરની ઈક્ષણુશક્તિ વડે અર્થાત પિતાને આત્મારૂપે નહિ સમજતાં નાક વડે સમજવાથી જે આ સ્વાભાવિક ગાડું ચાલવા માંડયું છે. અહી સુધી આ અટક્યું. અહીંથી તેને હવે કર્મની જરૂર પડે છે, તેથી આ સૃષ્ટિને કર્મ કિવા વિર્ગ સુષ્ટિ કહે છે. કર્મની વ્યાખ્યાની શરૂઆત અહીંથી જ થાય છે. આ જ પ્રાકૃત અને વૈકૃતના મિત્રવાળી દશમી સૃષ્ટિ છે(રક્ષાંક ૧૩ જુએ). આને સમષ્ટિ પુરુષ, પૂલ, દશ્ય અથવા જાગ્રત વિશ્વ સંકર્ષણ. અકાર, વિસર્ગ, કર્મ કિવા કામ ઇત્યાદિ કહે છે. અત્યાર સુધી તો ફક્ત ઈશ્વર(વૃક્ષાંક ૨)ની ઇક્ષિણશક્તિરૂપ કાળવડે જ એટલે દ્રષ્ટવ કિવા સાક્ષીભાવે વડે જ વિવર્તભાવે પરિવર્તન થવા પામેલું હતું, પરંતુ હવે સમષ્ટિના અભિમાની બ્રહ્મદેવે કેવળ સંકલ્પરૂપ કર્મથી જ આ બધો વિસ્તાર કરેલો છે. જેમ કે ઈ મનુષ્ય પોતાના સંકલ્પ વડે સંકલ્પ સૃષ્ટિની રચના કરે અને મનમાં ને મનમાં જ સંકલ્પ વડે પિતાના દેહની પણ રચના કરી તે વડે સંકલ્પમાંના સર્વ લોકો સાથે આ સંક૯પના દેહ વડે વ્યવહાર કરે છે અથશે તો સ્વપ્નસૃષ્ટિમાં બધો વ્યવહાર કરે અને જુએ છે, તેમ બ્રહ્મદેવે કેવળ સંકલ્પરૂપ કર્મ વડે જ આ બધી. બ્રહ્મ ડમાંના ચૌદ લેકની રચના કરેલી છે, તેમાં ત્રણ પ્રકારના કર્મોવાળી સૃષ્ટિઓ પ્રતીતિમાં આવે છેઃ (૧) માનસિક (૨) વાચિક અને (૩) કાયિક. જગતમાં વાસનાવશાત્ આ ત્રણ સાધન વડે થનારાં તમામ કર્મો કરેલાં છે, તથા બહુ આ ત્રણ સાધન વડે થતાં કર્તા, કરણ અને કાર્યરૂપ કર્મોથી પર એવો કેવળ ચિત્માત્ર સાક્ષીરૂપ છું, એવી રીતના નિશ્ચય વડે થતાં કર્મોથી ભિન્ન છું, અર્થાત પ્રકૃતિના ત્રણ ગુગે વડે થતાં તમામ કાર્યોની સાથે મારો તલભાર પણ સંબંધ નથી, એમ કછવ, દ્રષ્ટાપણું વા સાક્ષીભાવના નિશ્ચય વડે થતાં કર્મોને કર્મ નહિ પરંતુ નિષ્કમતા કહેલ છે. ઉપર કહેવામાં આવ્યા તે વાસનાત્મક માનસિક, વાચિક અને કયિક કમને પ્રથમારંભ સૌથી પહેલાં યજ્ઞથી જ થતો હોવાથી તે તમામ કર્મોને યજ્ઞ એવી સંજ્ઞા પણ છે વધુ માટે સિદ્ધાંતકાંડ અધ્યાય ૩-૪ જુઓ). આ કર્મની જ વિસર્ગ, યજ્ઞ, કામ, બ્રહ્મદેવ, સમષ્ટિ અભિમાની ઇત્યાદિ પર્યાય સંજ્ઞાઓ છે એમ સમજવું. સંક્ષેપમાં એટલું જ કે કર્મનું આ આરંભસ્થાન લેવાથી આની અંતર્ગત આવેલા તમામ લોકોને કર્મ કરવાની જરૂર હોય છે, તેથી તે કર્મલોક પણ કહેવાય છે(જુઓ વૃક્ષાંક ૧૦-બ્રહ્મદેવ–યક્ત બ્રહ્મા). સમષ્ટિ બ્રહ્માંડની ઉત્પત્તિ વૃક્ષાંક (૧૪) ચૌદ તથા તેની વિગત તેમ જ (૧૫) પંદર અને થી ૪ સુધીની સમજૂતીઃ આ સમષ્ટિ અભિમાની એવા બ્રહ્મદેવે પોતાના સંકઃપવશાત્ પિતામાં જ વેદને આધારે આ બ્રહ્માંડરૂપ કાર્યની વિષય ઉપરથી જાણી શકાય છે તેથી તે વિશ્વ કહેવાય છે. વિશ્વ સંસાની સાત અહીચી થઈ તેથી તેની જગત આ બધા વિશ્વમાંના છ ગણાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy